Saturday, May 30, 2026

રીડેવલપમેન્ટમાં સૌથી મોટો અવરોધ, હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં ‘ગેરકાયદે બાંધકામો‘નો રાફડો !!

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જૂની હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલપમેન્ટ માટે સરકાર અને રહીશો ઉત્સાહિત છે, પરંતુ આ પ્રક્રિયામાં સૌથી મોટો અને સંવેદનશીલ અવરોધ ‘ગેરકાયદે વધારાના બાંધકામ‘નો સામે આવી રહ્યો છે. અનેક સોસાયટીઓમાં ટેન્ડર અને વર્ક ઓર્ડર અપાઈ ગયા હોવા છતાં, હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં ગેરકાયદે દબાણ કરનારા તત્વોને કારણે સેંકડો પરિવારોના નવા ઘરના સપના અધ્ધરતાલ લટકી રહ્યા છે.

રીડેવલપમેન્ટ પ્રક્રિયાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓમાં રહીશોએ મૂળ નકશા કરતા બમણું કે ત્રણ ગણું વધારાનું બાંધકામ કરી દીધું છે. સૌથી ગંભીર સ્થિતિ એ છે કે, શુદ્ધ રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવેલા મકાનોમાં લોકોએ દુકાનો, શોરૂમ અને ગોડાઉન જેવા ગેરકાયદે તોતીંગ કોમર્શિયલ બાંધકામો તાણી બાંધ્યા છે. આ લોકો હવે રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી ‘વિલન‘ની ભૂમિકા ભજવી રહ્યા છે.
એક ચર્ચા મુજબ, નવા વાડજમાં ગગનવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરામાં શાસ્ત્રીનગર એમ-5 (72 HIG), શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટ, સિદ્ધિ એપાર્ટમેન્ટ (પ્રગતિનગર), ગોકુલ એપાર્ટમેન્ટ, સત્યમ એપાર્ટમેન્ટ(સોલા રોડ) વગેરે સોસાયટીઓમાં રીડેવલપમેન્ટમાં ગઈ છે, ટેન્ડર થઇ ગયા છે, ડેવલપરને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે પરંતુ ગેરકાયદેસર બાંધકામ વાળા રીડેવલપમેન્ટની પ્રક્રિયા યેનકેન પ્રકારે અટકાવે છે.આ ઉપરાંત રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં જેના ટેન્ડર થઇ ગયા છે પરંતુ આગામી સમયમાં હાઉસિંગ બોર્ડ દ્વારા ડેવલપરને વર્ક ઓર્ડર આપવામાં આવનાર છે એવી સોસાયટીઓની વાત કરીએ તો નારણપુરામાં હેપ્પી હોમ એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગર એમ-5 (96+56), પૂજન એપાર્ટમેન્ટ સહિત પૂર્વની અનેક સોસાયટીઓમાં મસમોટા ગેરકાયદેસર બાંધકામને કારણે રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી શકે છે અથવા તો પુરેપુરી સંભાવના છે.આ સોસાયટીઓમાં ડેવલપર નક્કી થઈ ગયા છે અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે, પરંતુ ગેરકાયદે બાંધકામ ધારકો પોતાની પકડ છોડવા તૈયાર નથી. આ ઉપરાંત, નારણપુરાના હેપ્પી હોમ એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગર એમ-5 (96+56) અને પૂજન એપાર્ટમેન્ટમાં પણ આગામી સમયમાં આ જ કારણોસર મુશ્કેલી સર્જાય તેવી ભીતિ છે.

હાઉસિંગ સોસાયટીઓમાં 75% થી વધુ લોકો રીડેવલપમેન્ટ માટે સહમત હોવા છતાં, વધારાનું બાંધકામ કરનારા લોકો પોતાની માગણીઓ સંતોષવા માટે કાયદાકીય અને વહીવટી અવરોધો ઊભા કરે છે. જે લોકોએ રહેણાંકમાં કોમર્શિયલ એકમો બનાવ્યા છે, તેઓ નવા પ્રોજેક્ટમાં પણ એટલી જ જગ્યા અથવા વળતરની જીદ પકડીને બેઠા છે, જે નિયમ મુજબ શક્ય નથી.

ઉપરોક્ત તમામ સોસાયટીઓમાં ગેરકાયદેસર બાંધકામ ધરાવતા મકાનધારકો મુઠ્ઠીભર છે, એટલે કે કુલ મકાનધારકોની સંખ્યામાં માંડ બે થી પાંચ ટકા સુધી ગણી શકાય તેવા લોકો સમગ્ર સોસાયટીના રહીશોને જાણે બાનમાં લઈ યેનકેન પ્રકારે રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકાવી રહ્યા છે, જેને કારણે સોસાયટીઓમાં રહેતા બહુમતી લોકોને આખરે શોષાવવાનો વારો આવે છે.

હવે તમને જણાવી દઈએ કે સરકારની રીડેવલપમેન્ટ પોલીસીમાં રેસીડન્ટમાં 40 ટકા અને કોમર્શિયલમાં 25 ટકા વધુ મોટા બાંધકામ આપવાની જાેગવાઈ છતાં અનેકગણા બાંધકામ તાણી બેઠા હોવાને કારણે આવા દસ-પંદર લોકો માટે સોસાયટીના બહુમત સભ્યોને હેરાન થવાનો વારો આવે છે.

હાઉસીંગ બોર્ડ દ્વારા રહેણાંકમાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ લાલ આંખ કરવી પડશે : રહીશો

અમદાવાદ : સામાન્ય રહીશો અને નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા આવા ‘તોતીંગ‘ ગેરકાયદે બાંધકામો પર કાયદાનો દંડો વિઝાવવામાં નહીં આવે, ત્યાં સુધી રીડેવલપમેન્ટની પ્રક્રિયા વેગ પકડશે નહીં. જાે સરકાર અને હાઉસિંગ બોર્ડ કડક હાથે કામ લઈને આ દબાણો દૂર કરે, તો જ હજારો પ્રામાણિક રહીશોને તેમના હકનું નવું અને સુરક્ષિત ઘર મળી શકશે.

એક આગેવાનના મત મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જયારે હાઉસીંગ સોસાયટીની સંમતિ સ્વીકારાય અથવા ટેન્ડરીંગ પ્રક્રિયા બાદ અને વર્ક ઓર્ડર અપાય, અથવા તો બિલ્ડર અને એસોસિયેશન વચ્ચે એમઓયુ થાય એ પહેલા આ પ્રકારના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેક ગણા બાંધકામ તાણી બેઠા છે એવા લોકો વિરુદ્ધ નોટીસો બજાવી કાયદેસરની કાર્યવાહી કરી આ પ્રકારના ગેરકાયદે બાંધકામ દુર કરવા જાેઈએ.જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે.

ચુંટાયેલ પ્રતિનિધિઓની ચંચુપાત બંધ થવી જાેઈએ : રહીશો

અમદાવાદ : ગુજરાત સરકારની રીડેવલપમેન્ટ પોલીસીના અમલમાં ચુંટાયેલ સંસદસભ્યો, ધારાસભ્યો, મ્યુ કોર્પાેરેટરો સહિતના હાઉસિંગ વિસ્તારના રાજકીય પક્ષના આગેેેેવાનો મોટેભાગે રસ ધરાવતા નથી, પ્રજા સાથે સીધા જાેડાયેલ ચુંટાયેલ પ્રતિનિધીઓ રસ દાખવશે તો સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં ઝડપ આવશે, હાઉસિંગ વિસ્તારની સોસાયટીઓના રહીશોનું રીડેવલપમેન્ટ બાદ નવા ઘરનું સપનું પુરુ થશે.

એક સોસાયટીના આગેવાન મુજબ, કેટલાંક ચુંટાયેલ ધારાસભ્યો, કોર્પાેરેટરો કે ભાજપના હોદ્દેદારો આવા ગેરકાયદે બાંધકામ ધરાવતા મકાનધારકોને છાવરતા હોવાનો આક્ષેપ કર્યાે છે, જેને કારણે ગેરકાયદે બાંધકામ વિરુધ મ્યુ તંત્ર કે હાઉસિંગ બોર્ડ કાર્યવાહી કરી શકતું નથી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચુંટાયેલ પ્રતિનિધિઓમાં ઘારાસભ્યો કે કોર્પાેરેટરોએ અમલવારીમાં રસ નહીં દાખવે તો ચાલશે, પરંતુ ગેરકાયદે બાંધકામ ધારકોને સપોર્ટ આપવાનું બંધ કરશે, તો પણ ચાલશે….

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...