Friday, May 8, 2026

નારણપુરામાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોમાં ઠગ ટોળકીઓ સક્રિય? બિલ્ડરો અને સોસાયટી સભ્યોમાં ચિંતા !

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોને લઈને ચિંતાજનક માહિતી સામે આવી રહી છે. નારણપુરામાં વિવિધ સોસાયટીઓમાં એવી ચર્ચાઓ જાેર પકડી રહી છે કે કેટલાક ગેરકાયદેસર તત્વો અને ઠગ ટોળકીઓ સક્રિય બની પ્રોજેક્ટોને અટકાવવાના પ્રયાસો કરી રહી છે. આ પ્રવૃત્તિઓને કારણે બિલ્ડરો, સોસાયટીના હોદેદારો તેમજ રહેવાસીઓમાં અશાંતિ ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, આવી ટોળકીઓ વિવિધ રીતે દબાણ અને અવરોધ ઉભા કરે છે. આરટીઆઈ અરજી કરીને માહિતી મેળવ્યા બાદ બિલ્ડરોને ફોન કરી બ્લેકમેઈલ કરવાની ચર્ચાઓ ઉઠી છે. સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ માહિતી એકત્ર કરી મુખ્યમંત્રી કાર્યાલય સહિત વિવિધ વિભાગોમાં વારંવાર ફરિયાદો દાખલ કરવામાં આવે છે.

રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલુ હોય તેવા વિસ્તારોમાં ટોળકીઓ સોસાયટીના કેટલાક અસંતુષ્ટ સભ્યોને ગેરમાર્ગે દોરી નાના-મોટા પ્રશ્નોને મોટું રૂપ આપે છે. લોકોમાં ટેન્ડર પ્રક્રિયા અંગે અણસમજ અને ગેરસમજ ફેલાવી “પોઝિટિવ” અને “નેગેટિવ” ટેન્ડરની અધૂરી માહિતી દ્વારા સભ્યોને ઉશ્કેરવાના પ્રયાસો પણ નોંધાયા છે.

સામાજિક માધ્યમો, ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપ દ્વારા ખોટી માહિતી ફેલાવીને પ્રચાર કરવો અને અસંતોષ ઊભો કરવો પણ આ પ્રવૃત્તિનો એક ભાગ હોવાનું કહેવાય છે. કેટલાક કિસ્સાઓમાં સોસાયટીના સભ્યોને કોર્ટમાં જવાની સલાહ આપી પ્રોજેક્ટને કાનૂની અટકમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટી ફરિયાદો નોંધાવવી, ગાંધીનગર સચિવાલયના નામે ધમકી આપવી, તેમજ ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના નામનો ઉપયોગ કરી દબાણ બનાવવાના બનાવોની પણ ચર્ચા છે.

ચોંકાવનારી વાત એ છે કે કેટલીક ચર્ચાઓ મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડના કેટલાક કર્મચારીઓ અથવા અધિકારીઓ પણ આવી ટોળકીઓ સાથે સંકળાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાે કે, આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી.

આ પરિસ્થિતિને કારણે અનેક સોસાયટીઓના હોદેદારો અને બિલ્ડરો પરેશાન બની રહ્યા છે અને સરકાર તથા સંબંધિત એજન્સીઓ પાસેથી યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

રીડેવલપમેન્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટોમાં આવી ગેરરીતિઓ શહેરના વિકાસને અસર કરે છે. તંત્ર દ્વારા સચોટ તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવાશે તો જ રહેવાસીઓમાં વિશ્વાસ પુન:સ્થાપિત થઈ શકે.

(જાે કોઈ આવી ઠગ ટોળકી દ્વારા સોસાયટીના સભ્ય, હોદ્દેદારો કે બિલ્ડરને કોઈ પણ પરેશાની કરતા હોય તો તમે અમારી હેલ્પલાઇન મો : ૯૯૨૪૦૦૪૭૧૪ પર જણાવી શકો છો)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...