Saturday, March 7, 2026

નિર્ણયનગર ગરનાળા પાસેથી 6 લાખના બગસરાનાં દાગીનાની બેગ લઈને બે અજાણ્યા ઇસમો થયા ફરાર

spot_img
Share

અમદાવાદ : શહેરના નિર્ણયનગર વિસ્તારમાંથી નજર ચુકવી રૂપિયા 6 લાખના બગસરાના દાગીનાની ચોરીનો બનાવ સામે આવ્યો છે.એક પાન પાર્લર પાસે બે અજાણ્યા ઇસમો દ્વારા નજર ચૂકવીને રૂપિયા 6 લાખની કિંમતના બગસરાના દાગીના ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.વાડજ પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ માણેકચોક ખાતે આવેલ ભવાની ગોલ્ડ ફોર્મિંગ નામની દુકાનમાં નોકરી કરતા સંજયભાઈ પ્રજાપતિ અને અનિલભાઈ પ્રજાપતિ ગઈકાલે સવારે એક્સેસ વાહન પર બગસરાનાં દાગીનાની બે બેગ ભરી નીકળ્યા હતા. અને તેઓ ચાંદલોડિયાથી નિર્ણયનગર તરફ જતા હતા. આ દરમિયાન નિર્ણયનગર ખાતે એક પાન પાર્લર પર બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેઓ સિગરેટ પીવા માટે ઉભા હતા.

નિર્ણયનગર ગરનાળા બાજુથી એક મોટર સાયકલ પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા. જેમાં મોટર સાયકલ ચાલકે હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેઠેલા ઈસમે ચહેરા પર રૂમાલ બાંધેલો હતો. જેઓ ફરિયાદીની નજર ચૂકવીને રૂપિયા 6 લાખની કિંમતના બગસરાના દાગીના ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...