અમદાવાદ : શહેરના વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇન્કમટેક્સ સર્કલ પાસે દ્વારકેશ પાન પાર્લર સામે ગત તારીખ 7જૂનના રોજ એક યુવક પર ગેરકાયદેસર મંડળી રચીને ઘાતકી હુમલો કરનાર ટોળકીના વધુ ત્રણ સાગરીતોને વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ ટીમે ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો ફરિયાદીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદીના સગીર વયના દીકરાને પાંચ શખ્સોએ ભેગા મળીને ઇન્કમટેક્સ પાસે પાન પાર્લર પાસે જાહેરમાં ફટકાર્યો હતો.સગીર જ્યારે ભાગ્યો ત્યારે કપડા કાઢીને આરોપીઓએ મારમાર્યો હતો.સગીરને સ્ટીલની પાઈપ અને ધોકા વડે મારમારતા આસપાસના લોકોએ છોડાવ્યો હતો.જે અંગે વાડજ પોલીસે પાંચ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગરાસિયા અને પીએસઆઈ જી.આર. રાલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી.આ અંગે વાડજ પોલીસે ફરિયાદ નોંધીને અગાઉ 2 આરોપીઓ ઝડપ્યા હતા.પોલીસે આ કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન હિમાંશુ ઉર્ફે બંટો વાઘેલા (ઉ.વ.20), સાહિલ ચંદ્રકાંતભાઈ વાઘેલા (ઉ.વ.18) અને રવિન્દ્ર ઉર્ફે રવિ રાજપુરોહિત (ઉ.વ.31)ને ઝડપી પાડવામાં આવ્યા છે.પકડાયેલા આરોપીઓમાં રવિન્દ્ર ઉર્ફે રવિ રાજપુરોહિત સામે અગાઉ પણ મારામારીનો ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમાં હજુ દુષ્યંત અગ્રવત અને રોનીલ ચૌહાણ નામના બે આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. વાડજ પોલીસની આ કામગીરીને શહેર પોલીસ દ્વારા પ્રશંસનીય ગણાવવામાં આવી છે.


