Wednesday, September 17, 2025

મોબાઈલ અને વોટ્સઅપના ડિજિટલ યુગમાં આ અમદાવાદીનો અનોખો શોખ : 35 વર્ષ જૂની ટિકિટો તથા ટપાલોનો અનોખો સંગ્રહ

Share

Share

અમદાવાદ : આજના મોબાઈલ અને વોટ્સઅપના ડિજિટલ યુગમાં એક અમદાવાદીએ અનોખો વારસો સાચવ્યો છે. વલ્ડૅ પોસ્ટ ડે પર જોઈએ આ અનોખા અમદાવાદીની કહાની બતાવી રહ્યા છીએ. અમદાવાદના નવા વાડજની વિવિધ ભારતી સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોની પાસે 35 વર્ષ જૂની ટિકિટો તથા ટપાલોનો અનોખો સંગ્રહ છે. તેઓ પાસે રૂ. 4,000 ની ભારતીય પોસ્ટની ટિકિટો છે. આ સિવાય કેનેડા, જાપાન, અમેરિકા, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, જર્મની, વગેરે દેશોની ટિકિટો પણ છે. આ ટિકિટોમાં ઇન્દિરા ગાંધી, જવાલાલ નેહરુ, ગાંધીજી, ભારતીય પોશાક, અશોક સ્તંભ, કુટુંબ નિયોજન, પાણીયારી, બતક વગેરેની ટિકિટો છે. તેમજ 500 ઉપરાંતની ટપાલો આંતરદેશીય પત્રો, યુપીસી પોસ્ટના સર્ટીફીકેટો, જેમાં પોસ્ટના સિક્કા છે તેનો પણ સંગ્રહ કરેલો છે.

એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોનીને ત્યાં આવતા મેગેઝીનનો, સાપ્તાહિકો, કવરો વગેરે ઉપર ટિકિટ લગાવવામાં આવતી હોય છે અને આ ટિકિટોને પોસ્ટ દ્વારા સિક્કો મારી કેન્સલ કરવામાં આવતી નથી, આ પ્રકારે કેન્સલ કર્યા વગરની ટિકિટો તેઓએ કાઢી લીધેલી અને તે પ્રમાણેની ટિકિટનું કલેક્શન ધરાવે છે. તેમજ પ્રકાશચંદ્ર કે. સોની પાસે જવાબી પોસ્ટકાર્ડ પણ છે. વર્તમાન સમયમાં ઘણા મિસ કોલ કરે છે તો પહેલાંના જમાનામાં પત્ર ટપાલની સાથે જવાબી પોસ્ટકાર્ડ મોકલતા હતા. જેમાં સામાન્ય વ્યક્તિ સમાચાર ટપાલ લખીને આપણે ત્યાં મોકલતા હતા. પહેલાના વખતમાં ટપાલી પોસ્ટમેનની રાહ જોઈને લોકો બેસતા અને ટપાલ આવે તેને ધ્યાનથી વાંચતા હતા. શુભ સમાચાર લાલ પેનથી અને અશુભ સમાચાર અશુભ સમાચાર કાળા પેનથી લખીને મોકલતા હતા.

દિવાળી વખતે નૂતન વર્ષાભિનંદન પણ ટપાલમાં લખીને મોકલતા હતા.પોસ્ટ ઓફિસમાં ટપાલના ઢગલાઓ થતા હતા અને ગામે ગામમાં ટપાલ વહેંચવામાં આવતી હતી. હાલમાં મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ વગેરે ટેકનોલોજી આગળ હોય ટપાલો ભુલાઈ ગયેલ છે તેમ છતાં પણ હાલમાં એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોની ટપાલો ખરીદે છે અને તેમાં સમાચાર લખી ટપાલો પોસ્ટથી મોકલે છે આમ ટપાલ ટિકિટનું સંગ્રહ કરવાનો અનોખો શોખ એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોની ધરાવે છે.

દરેક વ્યક્તિ જીવનમાં અલગ અલગ પ્રકારનો શોખ ધરાવે છે એમાં ટિકિટનો સંગ્રહ કરવાનો શોખ ધરાવનાર લોકો પણ અમદાવાદમાં છે. તે હંમેશા ટપાલો વચ્ચે ઘેરાયેલાં હોય છે અને ટિકિટોને ગોઠવતાં રહે છે. આ છે વલ્ડૅ પોસ્ટ ડેનાં દિવસને દુનિયાભરમાં મનાવાય છે ત્યારે અમદાવાદના પ્રકાશચંદ્ર કે. સોની આજે પત્ર લખીને આજના દિવસને મનાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...