Tuesday, March 3, 2026

મોબાઈલ અને વોટ્સઅપના ડિજિટલ યુગમાં આ અમદાવાદીનો અનોખો શોખ : 35 વર્ષ જૂની ટિકિટો તથા ટપાલોનો અનોખો સંગ્રહ

spot_img
Share

અમદાવાદ : આજના મોબાઈલ અને વોટ્સઅપના ડિજિટલ યુગમાં એક અમદાવાદીએ અનોખો વારસો સાચવ્યો છે. વલ્ડૅ પોસ્ટ ડે પર જોઈએ આ અનોખા અમદાવાદીની કહાની બતાવી રહ્યા છીએ. અમદાવાદના નવા વાડજની વિવિધ ભારતી સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોની પાસે 35 વર્ષ જૂની ટિકિટો તથા ટપાલોનો અનોખો સંગ્રહ છે. તેઓ પાસે રૂ. 4,000 ની ભારતીય પોસ્ટની ટિકિટો છે. આ સિવાય કેનેડા, જાપાન, અમેરિકા, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, જર્મની, વગેરે દેશોની ટિકિટો પણ છે. આ ટિકિટોમાં ઇન્દિરા ગાંધી, જવાલાલ નેહરુ, ગાંધીજી, ભારતીય પોશાક, અશોક સ્તંભ, કુટુંબ નિયોજન, પાણીયારી, બતક વગેરેની ટિકિટો છે. તેમજ 500 ઉપરાંતની ટપાલો આંતરદેશીય પત્રો, યુપીસી પોસ્ટના સર્ટીફીકેટો, જેમાં પોસ્ટના સિક્કા છે તેનો પણ સંગ્રહ કરેલો છે.

એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોનીને ત્યાં આવતા મેગેઝીનનો, સાપ્તાહિકો, કવરો વગેરે ઉપર ટિકિટ લગાવવામાં આવતી હોય છે અને આ ટિકિટોને પોસ્ટ દ્વારા સિક્કો મારી કેન્સલ કરવામાં આવતી નથી, આ પ્રકારે કેન્સલ કર્યા વગરની ટિકિટો તેઓએ કાઢી લીધેલી અને તે પ્રમાણેની ટિકિટનું કલેક્શન ધરાવે છે. તેમજ પ્રકાશચંદ્ર કે. સોની પાસે જવાબી પોસ્ટકાર્ડ પણ છે. વર્તમાન સમયમાં ઘણા મિસ કોલ કરે છે તો પહેલાંના જમાનામાં પત્ર ટપાલની સાથે જવાબી પોસ્ટકાર્ડ મોકલતા હતા. જેમાં સામાન્ય વ્યક્તિ સમાચાર ટપાલ લખીને આપણે ત્યાં મોકલતા હતા. પહેલાના વખતમાં ટપાલી પોસ્ટમેનની રાહ જોઈને લોકો બેસતા અને ટપાલ આવે તેને ધ્યાનથી વાંચતા હતા. શુભ સમાચાર લાલ પેનથી અને અશુભ સમાચાર અશુભ સમાચાર કાળા પેનથી લખીને મોકલતા હતા.

દિવાળી વખતે નૂતન વર્ષાભિનંદન પણ ટપાલમાં લખીને મોકલતા હતા.પોસ્ટ ઓફિસમાં ટપાલના ઢગલાઓ થતા હતા અને ગામે ગામમાં ટપાલ વહેંચવામાં આવતી હતી. હાલમાં મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ વગેરે ટેકનોલોજી આગળ હોય ટપાલો ભુલાઈ ગયેલ છે તેમ છતાં પણ હાલમાં એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોની ટપાલો ખરીદે છે અને તેમાં સમાચાર લખી ટપાલો પોસ્ટથી મોકલે છે આમ ટપાલ ટિકિટનું સંગ્રહ કરવાનો અનોખો શોખ એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોની ધરાવે છે.

દરેક વ્યક્તિ જીવનમાં અલગ અલગ પ્રકારનો શોખ ધરાવે છે એમાં ટિકિટનો સંગ્રહ કરવાનો શોખ ધરાવનાર લોકો પણ અમદાવાદમાં છે. તે હંમેશા ટપાલો વચ્ચે ઘેરાયેલાં હોય છે અને ટિકિટોને ગોઠવતાં રહે છે. આ છે વલ્ડૅ પોસ્ટ ડેનાં દિવસને દુનિયાભરમાં મનાવાય છે ત્યારે અમદાવાદના પ્રકાશચંદ્ર કે. સોની આજે પત્ર લખીને આજના દિવસને મનાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...