અમદાવાદ : શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે.નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે.રાજ્યના ડીજીપી અને અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ મલિકે વિધિવત રીતે અનુપમસિંહ ગહેલોતને અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ સોંપ્યો હતો.જે બાદ પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી હતી.પોલીસ કમિશનરે ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું કે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે અમદાવાદ શહેરની એક જૂની અને આગવી ઓળખ છે, રાજધાનીથી સૌથી નજીક અને રાજ્યનું સૌથી મોટું શહેર છે.અમદાવાદમાં પોલીસ માટે ઘણા પડકારો છે.અમદાવાદમાં કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી રીતે જળવાઈ રહી છે.વર્ષોથી અમદાવાદ પોલીસે કરેલા કામને આગળ વધારવાના છે. હાલ ચાર્જ લીધા બાદ સૌથી મહત્વનું કામ રથયાત્રાનું છે જે અમદાવાદમાં સૌથી મોટો તહેવાર છે.જે બાદ અમદાવાદ માટેના પડકારોમાં એક વિકસતા અમદાવાદમાં ટ્રાફિક મોટો પડકાર છે.આ ઉપરાંત આગામી સમયમાં કોમનવેલ્થ અને અન્ય ગેમ્સ અમદાવાદમાં રમાવાની છે જેમાં ટ્રાફિકને લઈને કામ કરવામાં આવશે કાયદો વ્યવસ્થા જળવાય તે મહત્વની વાત છે.
પોતાની પ્રથમ જાહેર પ્રતિક્રિયામાં અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ સંદેશ આપ્યો કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈપણ પ્રકારનો ચેડો સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.” જે લોકો કાયદાનું પાલન કરશે તેમને કોઈ મુશ્કેલી નહીં પડે, પરંતુ કાયદો ભંગ કરનાર સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે અસામાજિક તત્ત્વો, ગુનાખોરી અને કાયદો ભંગ કરવાના પ્રયાસો સામે અમદાવાદ પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે.
અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. 1997 બેચના સિનિયર IPS અધિકારી અનુપમ સિંહ ગેહલોતે વિજય મુહૂર્તમાં અમદાવાદના પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સુરત પોલીસ કમિશનર તરીકેની સફળ સેવાઓ બાદ તેમની અમદાવાદ બદલી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, અનુપમ સિંહ ગેહલોત ગુજરાતના એવા બીજા IPS અધિકારી બન્યા છે જેમણે રાજ્યના ચારેય મુખ્ય મહાનગરો – રાજકોટ, વડોદરા, સુરત અને હવે અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે સેવા આપીને એક વિશેષ રેકોર્ડ બનાવ્યો છે.


