Tuesday, August 18, 2026

AMC ફૂડ વિભાગનું મોટું ચેકિંગ, જગતપુરમાં મુંબઈયા વડાપાવ સહિત 4 એકમો સીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ ડિપાર્ટમેન્ટે નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે મોટું ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. સત્તાવાર અહેવાલો મુજબ, શહેરમાં ખાદ્ય સામગ્રીના ગુણવત્તાના ધોરણો ચકાસવા માટે દરોડા પાડીને જગતપુરમાં મુંબઈયા વડાપાવ, નારણપુરામાં આવેલ કૈલાસ દુગ્ધાલય અને ખોખરા સ્થિત ખોડિયાર દુગ્ધાલય સહિત 4 જાણીતા એકમોને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે જગતપુર ખાતે આવેલા ‘મુંબઈયા મિસળપાવ’ આઉટલેટને પણ સીલ કરી દીધું છે. ફૂડ વિભાગની તપાસ દરમિયાન અહી રસોઈમાં વપરાતા કુકિંગ ઓઈલની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું હતું. ચકાસણી દરમિયાન કુકિંગ ઓઈલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં ઘણું વધુ મળી આવ્યું હતું, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.

આ કાર્યવાહી દરમિયાન ભેળસેળયુક્ત અને નકલી એનાલોગ પનીરનો ઉપયોગ કરતા બે મોટા એકમોને તુરંત સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખોખરા સ્થિત ખોડિયાર દુગ્ધાલય અને નારણપુરામાં આવેલ કૈલાસ દુગ્ધાલયનો સમાવેશ થાય છે. બંને સ્થળેથી આરોગ્ય માટે હાનિકારક એનાલોગ પનીર ઝડપાતાં આ આકરાં પગલાં લેવાયાં છે.

આ ઉપરાંત નરોડા વિસ્તારમાં આવેલી ‘ઓમ શક્તિ રેસ્ટોરન્ટ’ પર પણ ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. અહીં ગ્રાહકોને પીરસાતી શાક-ગ્રેવીમાં ભેળસેળયુક્ત અને પ્રતિબંધિત સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્લું પડ્યું હતું. કેમિકલયુક્ત કૃત્રિમ કલરનો ઉપયોગ પકડાતાં જ તંત્રે ઓમ શક્તિ રેસ્ટોરન્ટને સ્થળ પર જ સીલ કરી દીધી છે.

અમદાવાદમાં એકસાથે 4 જેટલા જાણીતા ખાદ્ય એકમોને સીલ કરવામાં આવતાં જ ભેળસેળયુક્ત સામગ્રી અને અખાધ્ય પદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. AMC ના ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનાર કોઈપણ આઉટલેટ કે વેપારીને બક્ષવામાં નહીં આવે અને આગામી દિવસોમાં આ ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...