Saturday, March 7, 2026

નારણપુરામાં પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો 16 લાખના દાગીના અને ડોલરની નોટો ચોરી ગયા

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરામાં વિસ્તારમાં પરિવાર સૂતો હતો છતાં કેટલાક તસ્કરોએ હાથફેરો કરી બારીના સળિયા વાળી ઘરમાં ઘૂસી તિજોરીમાં મૂકેલાં 15.36 લાખના સોનાના દાગીના તથા 100 ડોલરની 10 નોટોની ચોરી કરી ગયો હતો. આ મામલે ઘરના માલિકે નારણપુરા પોલીસ મથકએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરી અંગે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નારણપુરાના રહેણાંક વિસ્તારમાં ઘરફોડની ઘટનાથી રહિશોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરાની રેખા પાર્ક સોસાયટીમાં રહેતા અને નવરંગપુરામાં મહાવીર કોલકેમ પ્રાઇવેટ લિમિટેડ નામથી ઓફિસ ધરાવી કેમિકલનો વેપાર કરતા મનીષભાઈ શાહ શનિવારે રાત્રીના સમયે ઘરમાં પરિવાર સાથે હાજર હતા. મનીષભાઈ પોતાના નિત્યક્રમ પ્રમાણે જમીને રૂમમાં સૂવા માટે ગયા હતા. વહેલી સવારના સમયે મનીષભાઈની પત્નીએ તેમને ઉઠાડીને જણાવ્યું હતું કે, રસોડાની બારી ખુલ્લી છે અને બારીની ગ્રિલના સળિયા વળી ગયેલી હાલતમાં છે. આથી મનીષભાઈએ ત્યાં જઈને તપાસ કરી તો સ્ટોર રૂમ ખુલ્લો હતો અને ઘરના ઉપરના માળે મૂકેલી તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં હતો.

એટલું જ નહીં તિજોરીમાં મૂકેલા 15.36 લાખના સોનાચાંદીના દાગીના, 100 ડોલરની 10 નોટો ન હતી. આથી કોઈ અજાણ્યો શખ્સ બારીના સળિયા વાળી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી ગયો હોવાની જાણ મનીષભાઈને થતા તેમણે આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.નારણપુરામાં રહેણાંક વિસ્તારમાં તસ્કરોના તરખાટથી રહિશોમાં ફફડાટ ફેલાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...