Tuesday, September 16, 2025

નારણપુરામાં પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો 16 લાખના દાગીના અને ડોલરની નોટો ચોરી ગયા

Share

Share

અમદાવાદ : શહેરના નારણપુરામાં વિસ્તારમાં પરિવાર સૂતો હતો છતાં કેટલાક તસ્કરોએ હાથફેરો કરી બારીના સળિયા વાળી ઘરમાં ઘૂસી તિજોરીમાં મૂકેલાં 15.36 લાખના સોનાના દાગીના તથા 100 ડોલરની 10 નોટોની ચોરી કરી ગયો હતો. આ મામલે ઘરના માલિકે નારણપુરા પોલીસ મથકએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરી અંગે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નારણપુરાના રહેણાંક વિસ્તારમાં ઘરફોડની ઘટનાથી રહિશોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરાની રેખા પાર્ક સોસાયટીમાં રહેતા અને નવરંગપુરામાં મહાવીર કોલકેમ પ્રાઇવેટ લિમિટેડ નામથી ઓફિસ ધરાવી કેમિકલનો વેપાર કરતા મનીષભાઈ શાહ શનિવારે રાત્રીના સમયે ઘરમાં પરિવાર સાથે હાજર હતા. મનીષભાઈ પોતાના નિત્યક્રમ પ્રમાણે જમીને રૂમમાં સૂવા માટે ગયા હતા. વહેલી સવારના સમયે મનીષભાઈની પત્નીએ તેમને ઉઠાડીને જણાવ્યું હતું કે, રસોડાની બારી ખુલ્લી છે અને બારીની ગ્રિલના સળિયા વળી ગયેલી હાલતમાં છે. આથી મનીષભાઈએ ત્યાં જઈને તપાસ કરી તો સ્ટોર રૂમ ખુલ્લો હતો અને ઘરના ઉપરના માળે મૂકેલી તિજોરીનો સામાન વેરવિખેર હાલતમાં હતો.

એટલું જ નહીં તિજોરીમાં મૂકેલા 15.36 લાખના સોનાચાંદીના દાગીના, 100 ડોલરની 10 નોટો ન હતી. આથી કોઈ અજાણ્યો શખ્સ બારીના સળિયા વાળી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી ગયો હોવાની જાણ મનીષભાઈને થતા તેમણે આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.નારણપુરામાં રહેણાંક વિસ્તારમાં તસ્કરોના તરખાટથી રહિશોમાં ફફડાટ ફેલાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...