Monday, February 16, 2026

અંગારિકા ચોથ નિમિત્તે નવા વાડજના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

spot_img
Share

અમદાવાદ : આ વર્ષના આરંભે શ્રી ગણપતિ દાદાની પરમ કૃપાથી સુંદર મજાનો શુભ સહયોગ આ વર્ષે આવતીકાલે ૧૦ મીએ વર્ષની પ્રથમ અને વર્ષની છેલ્લી અંગારીકા ચોથ છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે અંગારીકા ચોથના દિવસે ભાવિક ભકતો ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક જોડાય છે.ગણેશ ભક્તોમાં અંગારિકા ચૌથનુ વિશેષ મહત્વ છે. ગણેશ ભગવાન ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને નવા વાડજ સહીત આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

સિધ્ધિ વિનાયક મંદિરના પૂજારી ધર્મેન્દ્રભાઈ વ્યાસે અંગારિકા ચોથ મહત્વ દર્શાવતા જણાવ્યું છે કે અખબારનગર સિધ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા માટે ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહીને ગણપતિની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ચોથનું ખૂબ મહત્વ રહેલું છે આ ચોથના દિવસે વ્રત કરવાથી ૨૧ ચોથનું ફળ પ્રાપ્ત થાય છે તેમજ આ ચોથ કરવાથી જીવનના દરેક સંકટો અને મુશ્કેલીઓ દૂર થાય છે વિદ્યાર્થીઓને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ધનની કામના ધરાવનારને ધનની પ્રાપ્તિ થાય છે એટલે આ ચોથનું ખૂબ મહત્વ છે.

આ દિવસે મંદિરમાં અન્નકૂટ દર્શન, સવારે પાંચ વાગે મંગળાઆરતી, શણગાર આરતી, સહસ્ત્રજન પૂજાઓ સાથે અન્નકૂટ મહાદર્શન તેમજ રાત્રે મહાઆરતીનું આયોજન કરેલ છે તેવું ધર્મેન્દ્રભાઈ વ્યાસે જણાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...