Thursday, March 5, 2026

જૂના વાડજના રામાપીરના ટેકરા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરાઈ સ્થગિત, જાણો સ્થાનિકોના આક્ષેપ ?

spot_img
Share

અમદાવાદ : શહેરના જૂના વાડજના રામાપીરના ટેકરા વિસ્તારમાં થઇ રહેલ સ્લમ રિડેવલપમેન્ટની કામગીરી દરમ્યાન ગત મંગળવારે તંત્ર દ્વારા એકાએક ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરીને લઈ જિજ્ઞેશ મેવાણી લોકોની મદદે દોડી આવ્યા હતા. તેમણે ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવા વિનંતી કરી છે. આ સાથે જ સરકાર પર આરોપ લગાવતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં બિલ્ડરો પાસેથી ભરપૂર પૈસા લીધા બાદ હવે ગુજરાત સરકાર તેમનું ઋણ ચૂકવી રહી છે.

કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં સ્થાનિક અસરગ્રસ્તોએ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર આઈકે પટેલને રજૂઆત કરતાં ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. અમદાવાદના જુના વાડજના રામાપીરના ટેકરા પર 250થી વધુ પરિવારોનાં મકાનો પરવાનગી વગર તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક સ્થળ પર પહોંચીને વહીવટીતંત્રને કાર્યવાહી મોકૂફ રાખવા વિનંતી કરી હતી.મહત્વનું છે કે જુદા-જુદા 6 બિલ્ડરને કોન્ટ્રાક્ટ આપીને રામાપીર વિસ્તારમાં વિકાસકાર્ય થઈ રહ્યું છે. જેમાં લોકોને બોગસ લાભાર્થી બનાવીને લાભ અપાઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્થાનિક લોકોને ડરાવી, ધમકાવીને મકાન ખાલી કરવા માટેની ધમકી અપાઈ રહી છે. આ અંગે RTI કરીને માહિતી માગવા છતાં AMCનું તંત્ર આપતું નથી. AMC, પોલીસ અને બિલ્ડરો મળીને ખોટા લોકોને લાભ અપાવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.લોકોની માગ છે કે સ્થાનિક રહીશો, કોર્પોરેશન અને બિલ્ડર તરફથી પ્રતિનિધિઓની એક કમિટી બનાવવામાં આવે અને યોગ્યતા ધરાવતા લોકોને લાભ મળે. જો ધાકધમકી આપવામાં આવશે તો ચૂપ ન બેસવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. તો બીજીતરફ તંત્રએ પણ યોગ્ય લાભાર્થીને લાભ આપવાનો જ દાવો કર્યો છે.

સ્થાનિકોનો આરોપ છે કે એક મકાનના 4-4 બોગસ લાભાર્થીઓ ઉભા કર્યા છે. જેના કારણે 50 ટકા તો એમ જ કપાઈ જાય છે. સ્થાનિકોની રજૂઆત છે કે રામાપીરના ટેકરા પરથી ડિમોલિશન થશે ઓછામાં ઓછા 10 હજાર માણસો રઝળી પડશે. તેમનો આક્ષેપ છે કે આમાં કોઈપણ પ્રકારની વિજિલન્સ તપાસ કરવામાં નથી આવતી. પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરે તો પોલીસ દિવાની મેટર હોવાનુ કહી હાથ અધ્ધર કરી દે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...