Thursday, September 18, 2025

જૂના વાડજના રામાપીરના ટેકરા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરાઈ સ્થગિત, જાણો સ્થાનિકોના આક્ષેપ ?

Share

Share

અમદાવાદ : શહેરના જૂના વાડજના રામાપીરના ટેકરા વિસ્તારમાં થઇ રહેલ સ્લમ રિડેવલપમેન્ટની કામગીરી દરમ્યાન ગત મંગળવારે તંત્ર દ્વારા એકાએક ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરીને લઈ જિજ્ઞેશ મેવાણી લોકોની મદદે દોડી આવ્યા હતા. તેમણે ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવા વિનંતી કરી છે. આ સાથે જ સરકાર પર આરોપ લગાવતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં બિલ્ડરો પાસેથી ભરપૂર પૈસા લીધા બાદ હવે ગુજરાત સરકાર તેમનું ઋણ ચૂકવી રહી છે.

કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં સ્થાનિક અસરગ્રસ્તોએ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર આઈકે પટેલને રજૂઆત કરતાં ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. અમદાવાદના જુના વાડજના રામાપીરના ટેકરા પર 250થી વધુ પરિવારોનાં મકાનો પરવાનગી વગર તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક સ્થળ પર પહોંચીને વહીવટીતંત્રને કાર્યવાહી મોકૂફ રાખવા વિનંતી કરી હતી.મહત્વનું છે કે જુદા-જુદા 6 બિલ્ડરને કોન્ટ્રાક્ટ આપીને રામાપીર વિસ્તારમાં વિકાસકાર્ય થઈ રહ્યું છે. જેમાં લોકોને બોગસ લાભાર્થી બનાવીને લાભ અપાઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્થાનિક લોકોને ડરાવી, ધમકાવીને મકાન ખાલી કરવા માટેની ધમકી અપાઈ રહી છે. આ અંગે RTI કરીને માહિતી માગવા છતાં AMCનું તંત્ર આપતું નથી. AMC, પોલીસ અને બિલ્ડરો મળીને ખોટા લોકોને લાભ અપાવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.લોકોની માગ છે કે સ્થાનિક રહીશો, કોર્પોરેશન અને બિલ્ડર તરફથી પ્રતિનિધિઓની એક કમિટી બનાવવામાં આવે અને યોગ્યતા ધરાવતા લોકોને લાભ મળે. જો ધાકધમકી આપવામાં આવશે તો ચૂપ ન બેસવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. તો બીજીતરફ તંત્રએ પણ યોગ્ય લાભાર્થીને લાભ આપવાનો જ દાવો કર્યો છે.

સ્થાનિકોનો આરોપ છે કે એક મકાનના 4-4 બોગસ લાભાર્થીઓ ઉભા કર્યા છે. જેના કારણે 50 ટકા તો એમ જ કપાઈ જાય છે. સ્થાનિકોની રજૂઆત છે કે રામાપીરના ટેકરા પરથી ડિમોલિશન થશે ઓછામાં ઓછા 10 હજાર માણસો રઝળી પડશે. તેમનો આક્ષેપ છે કે આમાં કોઈપણ પ્રકારની વિજિલન્સ તપાસ કરવામાં નથી આવતી. પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરે તો પોલીસ દિવાની મેટર હોવાનુ કહી હાથ અધ્ધર કરી દે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...