Thursday, November 13, 2025

જૂના વાડજના રામાપીરના ટેકરા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરાઈ સ્થગિત, જાણો સ્થાનિકોના આક્ષેપ ?

spot_img
Share

અમદાવાદ : શહેરના જૂના વાડજના રામાપીરના ટેકરા વિસ્તારમાં થઇ રહેલ સ્લમ રિડેવલપમેન્ટની કામગીરી દરમ્યાન ગત મંગળવારે તંત્ર દ્વારા એકાએક ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરીને લઈ જિજ્ઞેશ મેવાણી લોકોની મદદે દોડી આવ્યા હતા. તેમણે ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવા વિનંતી કરી છે. આ સાથે જ સરકાર પર આરોપ લગાવતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં બિલ્ડરો પાસેથી ભરપૂર પૈસા લીધા બાદ હવે ગુજરાત સરકાર તેમનું ઋણ ચૂકવી રહી છે.

કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં સ્થાનિક અસરગ્રસ્તોએ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર આઈકે પટેલને રજૂઆત કરતાં ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. અમદાવાદના જુના વાડજના રામાપીરના ટેકરા પર 250થી વધુ પરિવારોનાં મકાનો પરવાનગી વગર તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક સ્થળ પર પહોંચીને વહીવટીતંત્રને કાર્યવાહી મોકૂફ રાખવા વિનંતી કરી હતી.મહત્વનું છે કે જુદા-જુદા 6 બિલ્ડરને કોન્ટ્રાક્ટ આપીને રામાપીર વિસ્તારમાં વિકાસકાર્ય થઈ રહ્યું છે. જેમાં લોકોને બોગસ લાભાર્થી બનાવીને લાભ અપાઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્થાનિક લોકોને ડરાવી, ધમકાવીને મકાન ખાલી કરવા માટેની ધમકી અપાઈ રહી છે. આ અંગે RTI કરીને માહિતી માગવા છતાં AMCનું તંત્ર આપતું નથી. AMC, પોલીસ અને બિલ્ડરો મળીને ખોટા લોકોને લાભ અપાવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.લોકોની માગ છે કે સ્થાનિક રહીશો, કોર્પોરેશન અને બિલ્ડર તરફથી પ્રતિનિધિઓની એક કમિટી બનાવવામાં આવે અને યોગ્યતા ધરાવતા લોકોને લાભ મળે. જો ધાકધમકી આપવામાં આવશે તો ચૂપ ન બેસવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. તો બીજીતરફ તંત્રએ પણ યોગ્ય લાભાર્થીને લાભ આપવાનો જ દાવો કર્યો છે.

સ્થાનિકોનો આરોપ છે કે એક મકાનના 4-4 બોગસ લાભાર્થીઓ ઉભા કર્યા છે. જેના કારણે 50 ટકા તો એમ જ કપાઈ જાય છે. સ્થાનિકોની રજૂઆત છે કે રામાપીરના ટેકરા પરથી ડિમોલિશન થશે ઓછામાં ઓછા 10 હજાર માણસો રઝળી પડશે. તેમનો આક્ષેપ છે કે આમાં કોઈપણ પ્રકારની વિજિલન્સ તપાસ કરવામાં નથી આવતી. પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરે તો પોલીસ દિવાની મેટર હોવાનુ કહી હાથ અધ્ધર કરી દે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...