Sunday, April 26, 2026

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન આ રોડ પર રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદઃ નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ અને આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ વરસાદને લઈ બંને વર્ગ ચિંતામાં છે. અમદાવાદ, સુરત અને વડોદરા વગેરે શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, તેથી સુરક્ષા અને ટ્રાફિકના અનેક સવાલો ઊભા થાય છે. અમદાવાદમાં ખાસ એસજી હાઈ-વે પર જામ રહેતો હોય છે, તેથી અહીંયા રાતના બે વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવરમાં રોક લગાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એસજી હાઈવે પર વાહન વ્યવહારની સાથે અકસ્માતોને ટાળવા માટે હાઈવે પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જે નવરાત્રિ દરમિયાન રાતના 2 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. અમદાવાદમાં ખાસ એસ જી હાઈવે પર ત્રણ કલબ, 10થી વધુ પાર્ટી પ્લોટ અને ઘણા ફાર્મહાઉસમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ઉમટે છે. અકસ્માતની ઘટના ટાળવા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ભારે વાહનોના પ્રવેશ પર 11 વાગ્યા સુધી પ્રવેશવા પ્રતિબંધ છે, પરંતુ નવરાત્રિ દરમિયાન આ પ્રતિબંધ રાત્રે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. કર્ણાવતી ક્લબથી ઝાયડસ હોસ્પિટલના ચાર રસ્તાની વચ્ચે 5.5 કિલોમીટરના વિસ્તારમાં નવરાત્રિ વખતે ભારે ટ્રાફિક સર્જાય છે.

કર્ણાવતી ક્લબથી સરખેજ જતા રસ્તા પર ફ્લાઇઓવર નિર્માણ કામ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તા એક ભાગ બંધ છે. આ સાથે જ બીજી બાજુ ખોદાકામ ચાલુ છે, જેથી ટ્રાફિક જામ થવાની સંભાવના વધી ગઈ છે. ટ્રાફિક જામની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે આ રોડ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ રાખવામાં આવશે. ઉપરાંત શહેરના અન્ય માર્ગો પર પણ આવી વ્યવસ્થા કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...