Wednesday, March 4, 2026

અમદાવાદમાં નમોત્સવનો ભવ્ય જલસો, PM મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી

spot_img
Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે, ત્યારે અમદાવાદ શહેર ભાજપ, બાપુનગર સેવા સમિતિ અને GCCI દ્વારા નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે. કાર્યક્રમમાં ભીડ ઉમટી પડતા એન્ટ્રી મેળવવા માટે લોકોની પડાપડી થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બાપુનગરમાં 17 સપ્ટેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદીની જીવનગાથા દર્શાવતો મેગા મલ્ટીમીડિયા શો યોજાયો હતો. નમોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. સાઈરામ દવે સહિતના 150 કલાકારોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું. આ મેગા મલ્ટીમીડિયા શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આ શો જોવા માટે ડોમ ઉપરાંત બહારના ભાગે લાગેલા LED સ્ક્રીન ઉપર પણ જોવા માટે લોકો ભેગા થયા હતા.

ડોમમાં પ્રવેશ મેળવવા માટે લોકો પાસે પાસ હોવા છતાં પણ પ્રવેશ મેળવી શક્યા નહોતા. કારણ કે, મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ભારે અવ્યવસ્થા તેમજ પ્રવેશ મેળવવા માટે ભીડમાં પડાપડી થઈ હતી. બે કલાકના વડાપ્રધાનની જીવનગાથા દર્શાવતા મેગા મલ્ટીમીડિયા શોને લોકોએ નિહાળ્યો હતો. તો બીજી તરફ ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટરોને બેસવાની જગ્યા મળી ન હતી.

નમોત્સવ કાર્યક્રમમાં વડનગરના સામાન્ય ચા વાળાથી લઈને વડાપ્રધાન બનવા સુધીની નરેન્દ્ર મોદીની જીવન ગાથા સાથે સાથે ઓપરેશન સિંદુરથી લઈને મહત્વના નિર્ણયો સુધીની સફર 150 જેટલા કલાકારોએ સંગોત અને નાટ્યાત્મક રીતે રજુ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...