Monday, January 19, 2026

અમદાવાદમાં નમોત્સવનો ભવ્ય જલસો, PM મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી

spot_img
Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે, ત્યારે અમદાવાદ શહેર ભાજપ, બાપુનગર સેવા સમિતિ અને GCCI દ્વારા નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે. કાર્યક્રમમાં ભીડ ઉમટી પડતા એન્ટ્રી મેળવવા માટે લોકોની પડાપડી થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બાપુનગરમાં 17 સપ્ટેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદીની જીવનગાથા દર્શાવતો મેગા મલ્ટીમીડિયા શો યોજાયો હતો. નમોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. સાઈરામ દવે સહિતના 150 કલાકારોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું. આ મેગા મલ્ટીમીડિયા શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આ શો જોવા માટે ડોમ ઉપરાંત બહારના ભાગે લાગેલા LED સ્ક્રીન ઉપર પણ જોવા માટે લોકો ભેગા થયા હતા.

ડોમમાં પ્રવેશ મેળવવા માટે લોકો પાસે પાસ હોવા છતાં પણ પ્રવેશ મેળવી શક્યા નહોતા. કારણ કે, મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ભારે અવ્યવસ્થા તેમજ પ્રવેશ મેળવવા માટે ભીડમાં પડાપડી થઈ હતી. બે કલાકના વડાપ્રધાનની જીવનગાથા દર્શાવતા મેગા મલ્ટીમીડિયા શોને લોકોએ નિહાળ્યો હતો. તો બીજી તરફ ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટરોને બેસવાની જગ્યા મળી ન હતી.

નમોત્સવ કાર્યક્રમમાં વડનગરના સામાન્ય ચા વાળાથી લઈને વડાપ્રધાન બનવા સુધીની નરેન્દ્ર મોદીની જીવન ગાથા સાથે સાથે ઓપરેશન સિંદુરથી લઈને મહત્વના નિર્ણયો સુધીની સફર 150 જેટલા કલાકારોએ સંગોત અને નાટ્યાત્મક રીતે રજુ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...