Wednesday, September 17, 2025

અમદાવાદમાં નમોત્સવનો ભવ્ય જલસો, PM મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી

Share

Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે, ત્યારે અમદાવાદ શહેર ભાજપ, બાપુનગર સેવા સમિતિ અને GCCI દ્વારા નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે. કાર્યક્રમમાં ભીડ ઉમટી પડતા એન્ટ્રી મેળવવા માટે લોકોની પડાપડી થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બાપુનગરમાં 17 સપ્ટેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદીની જીવનગાથા દર્શાવતો મેગા મલ્ટીમીડિયા શો યોજાયો હતો. નમોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. સાઈરામ દવે સહિતના 150 કલાકારોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું. આ મેગા મલ્ટીમીડિયા શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આ શો જોવા માટે ડોમ ઉપરાંત બહારના ભાગે લાગેલા LED સ્ક્રીન ઉપર પણ જોવા માટે લોકો ભેગા થયા હતા.

ડોમમાં પ્રવેશ મેળવવા માટે લોકો પાસે પાસ હોવા છતાં પણ પ્રવેશ મેળવી શક્યા નહોતા. કારણ કે, મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ભારે અવ્યવસ્થા તેમજ પ્રવેશ મેળવવા માટે ભીડમાં પડાપડી થઈ હતી. બે કલાકના વડાપ્રધાનની જીવનગાથા દર્શાવતા મેગા મલ્ટીમીડિયા શોને લોકોએ નિહાળ્યો હતો. તો બીજી તરફ ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટરોને બેસવાની જગ્યા મળી ન હતી.

નમોત્સવ કાર્યક્રમમાં વડનગરના સામાન્ય ચા વાળાથી લઈને વડાપ્રધાન બનવા સુધીની નરેન્દ્ર મોદીની જીવન ગાથા સાથે સાથે ઓપરેશન સિંદુરથી લઈને મહત્વના નિર્ણયો સુધીની સફર 150 જેટલા કલાકારોએ સંગોત અને નાટ્યાત્મક રીતે રજુ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...