Tuesday, March 3, 2026

કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા SAVE BIRD CAMPAIGN-2023 હેઠળ રેસ્ક્યુ સેન્ટર કેમ્પનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : ઉત્તરાયણ પર્વે પતંગ અને દોરા ને લીધે ઘાયલ થતા પક્ષીઓ ને તરત સારવાર આપી તેઓને જીવ બચાવી શકાય તે માટે અમદાવાદ શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ દર વર્ષે આગળ આવે છે. જેના અંતર્ગત ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે વાસણા ખાતે જી. બી. શાહ કોલેજ પાસે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેઇન 2023 નો રેસ્ક્યુ સેન્ટર કેમ્પ યોજાયો હતો.

કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઝંખના શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરાયણનો ત્યોહાર તો એક-બે દિવસમાં જતો રહે છે પણ એના દર્દનાક નિશાન છોડતો જાય છે. આપણા પતંગની દોરીઓ જ્યાં જ્યાં પડી હોય છે ત્યાં પક્ષી બેસે એટલે એમના પગમાં અથવા પાંખમાં ભરાય છે અને આ દોરીના લીધે ઓગસ્ટ મહિના સુધી ઘાયલ પક્ષીઓ મળે છે. કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમારા ઘરની આજુબાજુના વૃક્ષ, થાંભલા, તાર અને જમીન ઉપરથી દોરીઓ દૂર કરવા માટે અપીલ કરવામાં આવે છે.

સ્વયંસેવકનો ઉત્સાહ વધારવા માટે નીરવભાઈ બક્ષી (કોંગ્રેસ અમદાવાદ શહેર પ્રમુખ અને દરિયાપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર – કોંગ્રેસ) એ વાસણા કૅમ્પની મુલાકાત લીધી હતી અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...