Thursday, March 19, 2026

નવા વાડજની શ્રી ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સમાં નિશુલ્ક હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

spot_img
Share

અમદાવાદ : નવા વાડજના સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતી ઉજવાઈ રહી છે જે અંતર્ગત ગત રવિવારે નવા વાડજની શ્રી ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ શાળામાં નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ તથા ઝોન-1 IPS ડો.લવિનાસિંહાએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં આંખ, નાક, કાન ગળા,હાડકા, બાળ રોગ, સ્ત્રી રોગ, હૃદય રોગ, ડાયાબિટીસ, ચામડીના રોગ, જનરલ સર્જરી તથા દાંત ચિકિત્સા તપાસ માટે નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વાલી, વિદ્યાર્થીઓ તથા આસપાસના રહીશો મળીને 551 જેટલા લોકોએ આ નિશુલ્ક ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. સાથે સાથે હેલ્થ ચેકઅપમાં RBS, CBC, SGPT, થાઈરોઈડ જેવા ટેસ્ટ નિશુલ્ક કરી આપવામાં આવ્યા હતા.

શ્રી ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ શાળા આયોજિત રકતદાન કેમ્પમાં વિધાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં નાના ભૂલકાઓએ પણ ભાગ લઇ પોતાના બ્લડ ગ્રુપની ચકાસણી કરાવાઈ હતી.સર્વોદય બ્લડ બેન્કના સૌજન્યથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 113 જેટલી બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી. આમ સમગ્ર કાર્યક્રમ સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતી નિમિત્તે સમાજસેવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...