Saturday, February 7, 2026

નવા વાડજની શ્રી ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સમાં નિશુલ્ક હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

spot_img
Share

અમદાવાદ : નવા વાડજના સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતી ઉજવાઈ રહી છે જે અંતર્ગત ગત રવિવારે નવા વાડજની શ્રી ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ શાળામાં નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ તથા ઝોન-1 IPS ડો.લવિનાસિંહાએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં આંખ, નાક, કાન ગળા,હાડકા, બાળ રોગ, સ્ત્રી રોગ, હૃદય રોગ, ડાયાબિટીસ, ચામડીના રોગ, જનરલ સર્જરી તથા દાંત ચિકિત્સા તપાસ માટે નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વાલી, વિદ્યાર્થીઓ તથા આસપાસના રહીશો મળીને 551 જેટલા લોકોએ આ નિશુલ્ક ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. સાથે સાથે હેલ્થ ચેકઅપમાં RBS, CBC, SGPT, થાઈરોઈડ જેવા ટેસ્ટ નિશુલ્ક કરી આપવામાં આવ્યા હતા.

શ્રી ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ શાળા આયોજિત રકતદાન કેમ્પમાં વિધાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં નાના ભૂલકાઓએ પણ ભાગ લઇ પોતાના બ્લડ ગ્રુપની ચકાસણી કરાવાઈ હતી.સર્વોદય બ્લડ બેન્કના સૌજન્યથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 113 જેટલી બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી. આમ સમગ્ર કાર્યક્રમ સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતી નિમિત્તે સમાજસેવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...