Sunday, November 9, 2025

લુપ્ત થતા પાટણના હાયડા: હોળી-ધુળેટીના તહેવારોમાં હાયડા બનાવવાની વર્ષો જૂની સામાજિક પરંપરા હજુ પણ અકબંધ

spot_img
Share

પાટણએક કલાક પહેલા

હાલ બજારમાં ઠેર ઠેર દુકાનો ઉપર હાયડાઓ લટકતા જોવા મળે છેલોકો વર્ષોથી ચાલી આવતી સામાજીક રીત-રીવાજોમાં તેનો ઉપયોગ કરેસગાઇ, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં હાયડા અપાય છે

રંગોનો તહેવાર હોળી-ધુળેટીને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારોમાં પાટણની બજારમાં હાયડા, ધાણી અને ખજુરનું વેચાણ વધી જાય છે. તેમાંય હાયડાઓનું વિશેષ મહત્વ છે. હાલ બજારમાં ઠેર ઠેર દુકાનો ઉપર હાયડાઓ લટકતા જોવા મળે છે. જેની શહેર તથા ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખરીદી કરે છે અને વર્ષોથી ચાલી આવતી સામાજીક રીત-રીવાજોમાં તેનો ઉપયોગ કરે છે.

હાયડા બનાવવાની રસપ્રદ રીતઆ હાયડા બનાવવાની રીત પણ ભારે રસપ્રદ છે. પાટણ શહેરમા આશરે છેલ્લા 40થી 50 વર્ષથી મીઠાઈ બનાવતા કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાયડા બનાવવામાં પ્રથમ ખાંડની ચાસણીને એક કડાઇમાં ગરમ કરી તેનો રસ તૈયાર કરાય છે. ત્યારબાદ લાકડાની કોતરણીવાળા બીબામાં પ્રથમ કારીગરો દ્વારા દોરી પરોવવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લાકડાના બીબામાં ચાસણીના રસને ઢાળવામાં આવે છે અને ગણતરીની મિનીટોમાં જ આ ચાસણી ઠરતા લાકડાના બીબા આકારના હાયડા તૈયાર થાય છે.

હાયડા ધીમે ધીમે લુપ્ત થવાના આરેહાયડા બનાવતા એક કારીગરે જણાવ્યુ હતું કે, હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ વ્યવસાય હવે લુપ્તતાના આરે જઇ રહ્યો છે. ખાંડના વધતા જતા ભાવોને લઇ તેનું ચલણ પણ ઓછું થતું જાય છે. હાયડો આપણા સામાજીક રીત રિવાજોમાં સંકળાયેલો જોવા મળે છે. પરંપરાગત મુજબ ચાલી આવતા રીતરીવાજો મોંઘવારી તેમજ આધુનિકતાએ આ હાયડાને પોતાના ખપ્પરમાં હોમી દીધા હોવાથી આજે આ હાયડા ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યા છે.

કેટલાક સમાજોમાં હાયડાની પરંપરાઆ ઉપરાંત સમાજના પરંપરાગત રિવાજો હવે ધીમે ધીમે ભુલાઇ રહ્યા છે. તેની સાથે સાથે હાયડાઓનું મહત્વ પણ હવે નહીવત બની ગયું છે. પરંતુ કેટલાક સમાજોમાં આજે પણ અકબંધ રીતે હાયડાની પરંપરાને જાળવી રાખી છે. જેમાં સગાઇ, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં હાયડા અપાય છે.

દર વર્ષે અઢી-ત્રણ હજાર કિલો હાયડા વેચાય છેહોળી-ધુળેટીનો તહેવાર હવે નજીકના દિવસમાં આવતો હોય વિવિધ કંદોઇની દુકાનમાં હાયડા બનાવતા કારીગરો પોતાની કામગીરીમાં વ્યસ્ત બનેલા જોવા મળી રહ્યા છે. આ હાયડા હોલસેલમાં 80 રૂપિયા અને છૂટક 100 રુપિયાના ભાવે વેચાય છે. દર વર્ષે પાટણમાં અઢીથી ત્રણ હજાર કિલો હાયડા વેચાય છે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...