Wednesday, January 14, 2026

લુપ્ત થતા પાટણના હાયડા: હોળી-ધુળેટીના તહેવારોમાં હાયડા બનાવવાની વર્ષો જૂની સામાજિક પરંપરા હજુ પણ અકબંધ

spot_img
Share

પાટણએક કલાક પહેલા

હાલ બજારમાં ઠેર ઠેર દુકાનો ઉપર હાયડાઓ લટકતા જોવા મળે છેલોકો વર્ષોથી ચાલી આવતી સામાજીક રીત-રીવાજોમાં તેનો ઉપયોગ કરેસગાઇ, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં હાયડા અપાય છે

રંગોનો તહેવાર હોળી-ધુળેટીને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારોમાં પાટણની બજારમાં હાયડા, ધાણી અને ખજુરનું વેચાણ વધી જાય છે. તેમાંય હાયડાઓનું વિશેષ મહત્વ છે. હાલ બજારમાં ઠેર ઠેર દુકાનો ઉપર હાયડાઓ લટકતા જોવા મળે છે. જેની શહેર તથા ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખરીદી કરે છે અને વર્ષોથી ચાલી આવતી સામાજીક રીત-રીવાજોમાં તેનો ઉપયોગ કરે છે.

હાયડા બનાવવાની રસપ્રદ રીતઆ હાયડા બનાવવાની રીત પણ ભારે રસપ્રદ છે. પાટણ શહેરમા આશરે છેલ્લા 40થી 50 વર્ષથી મીઠાઈ બનાવતા કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાયડા બનાવવામાં પ્રથમ ખાંડની ચાસણીને એક કડાઇમાં ગરમ કરી તેનો રસ તૈયાર કરાય છે. ત્યારબાદ લાકડાની કોતરણીવાળા બીબામાં પ્રથમ કારીગરો દ્વારા દોરી પરોવવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લાકડાના બીબામાં ચાસણીના રસને ઢાળવામાં આવે છે અને ગણતરીની મિનીટોમાં જ આ ચાસણી ઠરતા લાકડાના બીબા આકારના હાયડા તૈયાર થાય છે.

હાયડા ધીમે ધીમે લુપ્ત થવાના આરેહાયડા બનાવતા એક કારીગરે જણાવ્યુ હતું કે, હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ વ્યવસાય હવે લુપ્તતાના આરે જઇ રહ્યો છે. ખાંડના વધતા જતા ભાવોને લઇ તેનું ચલણ પણ ઓછું થતું જાય છે. હાયડો આપણા સામાજીક રીત રિવાજોમાં સંકળાયેલો જોવા મળે છે. પરંપરાગત મુજબ ચાલી આવતા રીતરીવાજો મોંઘવારી તેમજ આધુનિકતાએ આ હાયડાને પોતાના ખપ્પરમાં હોમી દીધા હોવાથી આજે આ હાયડા ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યા છે.

કેટલાક સમાજોમાં હાયડાની પરંપરાઆ ઉપરાંત સમાજના પરંપરાગત રિવાજો હવે ધીમે ધીમે ભુલાઇ રહ્યા છે. તેની સાથે સાથે હાયડાઓનું મહત્વ પણ હવે નહીવત બની ગયું છે. પરંતુ કેટલાક સમાજોમાં આજે પણ અકબંધ રીતે હાયડાની પરંપરાને જાળવી રાખી છે. જેમાં સગાઇ, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં હાયડા અપાય છે.

દર વર્ષે અઢી-ત્રણ હજાર કિલો હાયડા વેચાય છેહોળી-ધુળેટીનો તહેવાર હવે નજીકના દિવસમાં આવતો હોય વિવિધ કંદોઇની દુકાનમાં હાયડા બનાવતા કારીગરો પોતાની કામગીરીમાં વ્યસ્ત બનેલા જોવા મળી રહ્યા છે. આ હાયડા હોલસેલમાં 80 રૂપિયા અને છૂટક 100 રુપિયાના ભાવે વેચાય છે. દર વર્ષે પાટણમાં અઢીથી ત્રણ હજાર કિલો હાયડા વેચાય છે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...