Tuesday, February 10, 2026

લુપ્ત થતા પાટણના હાયડા: હોળી-ધુળેટીના તહેવારોમાં હાયડા બનાવવાની વર્ષો જૂની સામાજિક પરંપરા હજુ પણ અકબંધ

spot_img
Share

પાટણએક કલાક પહેલા

હાલ બજારમાં ઠેર ઠેર દુકાનો ઉપર હાયડાઓ લટકતા જોવા મળે છેલોકો વર્ષોથી ચાલી આવતી સામાજીક રીત-રીવાજોમાં તેનો ઉપયોગ કરેસગાઇ, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં હાયડા અપાય છે

રંગોનો તહેવાર હોળી-ધુળેટીને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારોમાં પાટણની બજારમાં હાયડા, ધાણી અને ખજુરનું વેચાણ વધી જાય છે. તેમાંય હાયડાઓનું વિશેષ મહત્વ છે. હાલ બજારમાં ઠેર ઠેર દુકાનો ઉપર હાયડાઓ લટકતા જોવા મળે છે. જેની શહેર તથા ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખરીદી કરે છે અને વર્ષોથી ચાલી આવતી સામાજીક રીત-રીવાજોમાં તેનો ઉપયોગ કરે છે.

હાયડા બનાવવાની રસપ્રદ રીતઆ હાયડા બનાવવાની રીત પણ ભારે રસપ્રદ છે. પાટણ શહેરમા આશરે છેલ્લા 40થી 50 વર્ષથી મીઠાઈ બનાવતા કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાયડા બનાવવામાં પ્રથમ ખાંડની ચાસણીને એક કડાઇમાં ગરમ કરી તેનો રસ તૈયાર કરાય છે. ત્યારબાદ લાકડાની કોતરણીવાળા બીબામાં પ્રથમ કારીગરો દ્વારા દોરી પરોવવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લાકડાના બીબામાં ચાસણીના રસને ઢાળવામાં આવે છે અને ગણતરીની મિનીટોમાં જ આ ચાસણી ઠરતા લાકડાના બીબા આકારના હાયડા તૈયાર થાય છે.

હાયડા ધીમે ધીમે લુપ્ત થવાના આરેહાયડા બનાવતા એક કારીગરે જણાવ્યુ હતું કે, હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ વ્યવસાય હવે લુપ્તતાના આરે જઇ રહ્યો છે. ખાંડના વધતા જતા ભાવોને લઇ તેનું ચલણ પણ ઓછું થતું જાય છે. હાયડો આપણા સામાજીક રીત રિવાજોમાં સંકળાયેલો જોવા મળે છે. પરંપરાગત મુજબ ચાલી આવતા રીતરીવાજો મોંઘવારી તેમજ આધુનિકતાએ આ હાયડાને પોતાના ખપ્પરમાં હોમી દીધા હોવાથી આજે આ હાયડા ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યા છે.

કેટલાક સમાજોમાં હાયડાની પરંપરાઆ ઉપરાંત સમાજના પરંપરાગત રિવાજો હવે ધીમે ધીમે ભુલાઇ રહ્યા છે. તેની સાથે સાથે હાયડાઓનું મહત્વ પણ હવે નહીવત બની ગયું છે. પરંતુ કેટલાક સમાજોમાં આજે પણ અકબંધ રીતે હાયડાની પરંપરાને જાળવી રાખી છે. જેમાં સગાઇ, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં હાયડા અપાય છે.

દર વર્ષે અઢી-ત્રણ હજાર કિલો હાયડા વેચાય છેહોળી-ધુળેટીનો તહેવાર હવે નજીકના દિવસમાં આવતો હોય વિવિધ કંદોઇની દુકાનમાં હાયડા બનાવતા કારીગરો પોતાની કામગીરીમાં વ્યસ્ત બનેલા જોવા મળી રહ્યા છે. આ હાયડા હોલસેલમાં 80 રૂપિયા અને છૂટક 100 રુપિયાના ભાવે વેચાય છે. દર વર્ષે પાટણમાં અઢીથી ત્રણ હજાર કિલો હાયડા વેચાય છે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...