Wednesday, January 21, 2026

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, બેફામ ટ્રક ચાલકે ટુ વ્હિલર ચાલકને મારી ટક્કર, યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હિટ એન્ડ રનની દુર્ઘટના સામે આવી છે. અમદાવાદમાં વધુ એક વખત બેફામ દોડતા ટ્રકે માસુમનો જીવ લીધો છે. મળતા અહેવાલ પ્રમાણે SP રીંગ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે એક્ટિવા ચાલક યુવાનને ટક્કર મારી હતી. ટક્કર બાદ યુવાન હવામાં ઉછળ્યો હતો અને તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે યુવક ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે. મૃતક વિદ્યાર્થી સાઇન્સ સિટી થી ડીપીએસ સ્કૂલ તરફ જઈ રહ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના સાયન્સ સિટીમાં રહેતો તનય પટેલ નામનો 18 વર્ષીય વિદ્યાર્થી એક્ટિવા લઈને ઘરેથી DPS બોપલ સ્કૂલ તરફ જતો હતો. તનય એસપી રીંગ રોડ પર આવેલા શીલજ સર્કલ ખાતે પહોંચ્યો, ત્યારે એક ટ્રકચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ તનય એક્ટિવા સાથે જમીન પર પટકાયો હતો, જેના કારણે માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત થતા જ ટ્રકચાલક ટ્રક મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગતરોજ (30 જુલાઈ) શાહીબાગમાં કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે મોંઘીદાટ કાર વડે નિર્દોષનો જીવ લીધો હતો. આદિત્યસિંહ રાઠોડે કાર પૂરપાટ ઝડપે ચલાવી એક્ટિવાચાલકને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવાચાલક નજીકમાં ઊભેલી રિક્ષા સાથે ટકરાયો, જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

આ અગાઉ અમદાવાદમાં એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. અખબારનગર અંડરપાસ પાસેની આ ઘટના છે. કારચાલકે ટુવ્હીલર ચાલકને અડફેટે લેતા તે અંડરપાસના દરવાજા સાથે અથડાયો હતો. સદનસીબે તેને સામાન્ય ઈજા થઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...