Wednesday, January 14, 2026

કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી: ભરૂચનો વિદ્યાર્થી સતત બે વખત GPSCની પરીક્ષામાં ફેલ થયો, મક્કમ મનોબળ અને એક પ્રવચને ક્લાસ વન અધિકારી બનાવ્યો

spot_img
Share

ભરૂચએક કલાક પહેલાલેખક: જીગર દવે

સ્કૂલમાં ડો. મીનળબેન દવેના પ્રવચને રિઝવાન પટેલને સરકારી નોકરી માટે પ્રભાવિત કર્યો2021માં લેવાયેલી GPSCની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 33 મો નંબર પ્રાપ્ત કર્યો

શબ્દોનો પ્રભાવ શું સકારાત્મકતા સર્જી શકે છે તેનું જીવંત ઉદાહરણ છે ભરૂચના મનુબર ગામનો 31 વર્ષીય રિઝવાન ઇકબાલ પટેલ. એમિટી સ્કૂલમાં થોડા વર્ષો પહેલા ડો. મીનળબેન દવેનું શિક્ષણ ઉપર પ્રવચન હતું. તેમના એક પ્રવચને ધો. 11 ના વિદ્યાર્થી રિઝવાનને પ્રભાવિત કરી દીધો હતો અને તેને સરકારી નોકરીની પોતાના મગજમાં ગાંઠ બાંધી લીધી હતી.

રીઝવાન પટેલ

રીઝવાન પટેલ

સરકારી અધિકારી બનવા માટે કવાયત શરૂ કરીવેજલપુરમાં પિતાની જનરલ સ્ટોરની સામાન્ય દુકાન અને સાદગીમય સામાન્ય પરિવારના રિઝવાને સરકારી અધિકારી બનવા માટે કવાયત શરૂ કરી હતી. M.SC.બાયો કર્યા બાદ આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા પાસ કરી વર્ષ 2018 થી કોસંબામાં બાયોલોજીના શિક્ષક તરીકે નોકરી પણ શરૂ કરી હતી. જોકે, સ્કૂલ સમયનું ડો. મીનળબેનનું પ્રવચન મનમાં ઘર કરી ગયું હતું.

ત્રીજા પ્રયાસે સફળતા મેળવીનોકરી સાથે જ ઘરે B.ed.કર્યું અને સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી હતી. 2018માં GPSCમાં નાપાસ થયો પણ રિઝવાન મનોબળ હાર્યો નહી. 2019માં ફરી પરીક્ષા આપી જેમાં પણ મેળ ન પડ્યો અને અંતે 2021માં 2 લાખ 24 હજાર ઉમેદવારો વચ્ચે 224 માં રેન્ક સાથે સફળતા હાંસલ કરી હતી. આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ GST તરીકે રિઝવાનની કલાસ વન ઓફિસર તરીકે પસંદગી થઈ છે. હવે ગાંધીનગરમાં ટ્રેનિંગ મેળવ્યા પછી તેને પોસ્ટિંગ આપવામાં આવશે. જે એમિટી સ્કૂલમાં રિઝવાન પટેલે અભ્યાસ કર્યો હતો તેમાં 14 વર્ષ પછી કલાસ વન અધિકારી બની તેને પગ મુકતા સ્કૂલ પણ વિદ્યાર્થીની આ સિદ્ધિથી ગર્વ અનુભવી રહી છે.

રીઝવાન પટેલ

રીઝવાન પટેલ

બાળપણમાં જ સરકારી અધિકારી બનવાનું નક્કી કર્યુઃ રિઝવાનઆ અંગે રીઝવાન પટેલે જણાવ્યું હતું કે, 2021માં લેવાયેલી GPSCની પરીક્ષામાં મે સમગ્ર ગુજરાતમાં 33 મો નંબર પ્રાપ્ત કર્યો છે. આ પરીક્ષામાં કુલ 224 બેઠક હતી તેમાં 70 જેટલી ક્લાસ વનની બેઠક હતી. હું જ્યારે 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. ત્યારે સ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા મીનલ દવેએ મને આ સરકારી પરીક્ષા વિશેની ઘણી મહત્વ પૂર્ણ માહિતી આપી હતી. ત્યારથી જ મે નક્કી કરી લીધું હતું કે, હું પણ એક સરકારી અધિકારી બનીને મારૂ સ્વપ્ન પુરૂ કરીશ અને ત્યારે મે એ પણ નક્કી કર્યુ હતું કે હુ ત્યારે જ ફરી પાછો મારી શાળામાં જઈશ કે જ્યારે હું કઈક બનીને બતાવી દઈશ.

2021માં ફરી પરીક્ષા આપી અને સફળ થયોવધુમાં જણાવ્યું કે, 2018 માં મે પ્રથમવાર જીપીએસસીની પરીક્ષા આપી હતી. જેમાં હું અસફળ રહ્યો હતો. ત્યારબાદ 2019માં ફરીથી પરીક્ષા આપી તેમાં હુ ઈન્ટરવ્યું આપવા સુધી પહોંચ્યો જોકે, તેમાં પણ મને સફળતા મળી ન હતી. ત્યારે કોરોના બાદ મે 2021માં ફરી પરીક્ષા આપી અને હું આ પરીક્ષામાં સફળ થયો હતો.

પ્રો.મીનળબેન દવે

પ્રો.મીનળબેન દવે

આ અંગે પ્રો.મીનળબેન દવેએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા રીઝવાનની સ્કૂલમાં હું ગઈ હતી ત્યારે મે કહ્યુ હતું કે, આપણે ગુજરાતીઓ મોટાભાગે ડોક્ટર અને ઈન્જીનર બનવાનું વધુ પસંદ કરતા હોય છીએ પણ એના સિવાય પણ ઘણા બધા રસ્તા ખુલા છે ત્યારે તે વસ્તુ તેના મનમાં વસી ગઈ હશે. રીઝવાને પહેલી વખત પરીક્ષા આપી ત્યારે તે અસફળ થયો હતો અને બીજી વખતમાં તે ઈન્ટરવ્યુમાં તે અટકી ગયો હતો ત્યારે તેને લાગ્યુ કે અંગ્રેજીમાં તેણે જવાબો આપ્યા એટલે તે અટકી ગયો છે. જેથી તેણે ત્રીજી વખત પરીક્ષા આપી તેમાં તેણે ગુજરાતીમાં જવાબો આપ્યા તેને લાગ્યુ કે ગુજરાતી ભાષામાં તે સારી રીતે જવાબ આપી શકશે અને અને તે તેમાં સફળ પણ થયો હતો.

વધુમાં જણાવ્યું કે, રીઝવાન જેવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જેણે જીપીએસસીની પરીક્ષા પાસ કરી છે. મારે બધા માતા-પિતાને કહેવુ છે કે તમે તમારા બાળકને માત્ર ડોક્ટર કે ઈન્જીનર બનાવવાનું જ ના કહો પરંતુ આવી સ્પર્ધાત્મક પરીક્ષા તરફ વાળો જેમાં ઘણી બધી તકો રહેલી છે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...