Sunday, January 18, 2026

અમદાવાદ સિવિલમાં અદ્યતન મશીનનું લોકાર્પણ, કેન્સરના નિદાનના 10 રીપોર્ટ માત્ર 1 કલાકમાં મળશે

spot_img
Share

અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના નિદાન માટે એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય પ્રધાન દ્વારા હોસ્પિટલના ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં રૂપિયા 44 લાખની કિંમતના બે અત્યાધુનિક, જર્મન ટેકનોલોજીના પેટ સીટી અને સ્પેક્ટ સીટી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, GCRIના ડિરેકટર ડો. શશાંક પંડયાએ જણાવ્યું કે આ મશીનોની મદદથી દર્દીના આખા શરીરનું સ્કેનિંગ માત્ર 5 મિનિટમાં કરીને કેન્સરગ્રસ્ત અંગનું સચોટ નિદાન થઈ શકશે. અગાઉ 1 કલાકમાં માત્ર 4 રિપોર્ટ થતા હતા, જે હવે વધીને 10 થશે, જેથી સારવાર ઝડપી બનશે.આ સાથે જ, સિવિલની સ્પાઈન ઇન્સ્ટિટ્યુટના પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ (PO) વિભાગમાં ONGC દ્વારા CSR હેઠળ રૂ।. 20 લાખના 3 અદ્યતન મશીનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનો લાભ દરરોજ આવતા સરેરાશ 5થી 7 કૃત્રિમ અંગોના દર્દીઓને મળશે.

જ્યાં ખાનગી સેન્ટરોમાં આ રિપોર્ટનો ખર્ચ રૂ 25 થી 40 હજાર થતો હોય છે, તે જ રિપોર્ટ GCRIમાં માત્ર રૂ 10 થી 15 હજારમાં ઉપલબ્ધ થશે. આ મશીનો હૃદયની સ્થિતિ, કાર્ડિયાક પ્લાનિંગ અને વિવિધ પ્રકારના કેન્સરના નિદાનમાં મદદરૂપ થશે.અમદાવાદ સિવિલમાં સારવાર માટેના મશીનોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...