Sunday, November 9, 2025

અમદાવાદ સિવિલમાં અદ્યતન મશીનનું લોકાર્પણ, કેન્સરના નિદાનના 10 રીપોર્ટ માત્ર 1 કલાકમાં મળશે

spot_img
Share

અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના નિદાન માટે એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય પ્રધાન દ્વારા હોસ્પિટલના ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં રૂપિયા 44 લાખની કિંમતના બે અત્યાધુનિક, જર્મન ટેકનોલોજીના પેટ સીટી અને સ્પેક્ટ સીટી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, GCRIના ડિરેકટર ડો. શશાંક પંડયાએ જણાવ્યું કે આ મશીનોની મદદથી દર્દીના આખા શરીરનું સ્કેનિંગ માત્ર 5 મિનિટમાં કરીને કેન્સરગ્રસ્ત અંગનું સચોટ નિદાન થઈ શકશે. અગાઉ 1 કલાકમાં માત્ર 4 રિપોર્ટ થતા હતા, જે હવે વધીને 10 થશે, જેથી સારવાર ઝડપી બનશે.આ સાથે જ, સિવિલની સ્પાઈન ઇન્સ્ટિટ્યુટના પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ (PO) વિભાગમાં ONGC દ્વારા CSR હેઠળ રૂ।. 20 લાખના 3 અદ્યતન મશીનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનો લાભ દરરોજ આવતા સરેરાશ 5થી 7 કૃત્રિમ અંગોના દર્દીઓને મળશે.

જ્યાં ખાનગી સેન્ટરોમાં આ રિપોર્ટનો ખર્ચ રૂ 25 થી 40 હજાર થતો હોય છે, તે જ રિપોર્ટ GCRIમાં માત્ર રૂ 10 થી 15 હજારમાં ઉપલબ્ધ થશે. આ મશીનો હૃદયની સ્થિતિ, કાર્ડિયાક પ્લાનિંગ અને વિવિધ પ્રકારના કેન્સરના નિદાનમાં મદદરૂપ થશે.અમદાવાદ સિવિલમાં સારવાર માટેના મશીનોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...