Friday, November 7, 2025

રાણીપમાં કેનેડાના PR વિઝાના બહાને 35 લાખ પડાવ્યાં, પિતા-પુત્રી સહિત 4 લોકો સામે પોલીસ ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : આજકાલ લોકોને વિદેશ જવાની ખૂબ લાલચ જાગી છે, ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા યુવક અને તેની પત્નીને કેનેડા ખાતે મોકલવાની બાહેધરી આપીને પરમેનન્ટ રેસિડન્સી (PR) વિઝા કરાવવાના નામે 35 લાખ પડાવી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.આ કેસમાં કેનેડા સ્થિત પિતા અને તેની પુત્રી સહિત ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ શહેરના રાણીપ વિસ્તારમાં નવનિર્માણ સ્કૂલ સામે આવેલી વરાહ પ્રભુ સોસાયટીમાં રહેતા અને દરિયાપુરમાં હાર્ડવેરની દુકાન ધરાવતા ફરિયાદી વિષ્ણુભાઈ પટેલનો સંપર્ક જૂન 2023માં તેમની સાસુ મારફતે અશ્વિનભાઈ પટેલ નામના શખ્સે કર્યો હતો. અશ્વિનભાઈએ પોતે કેનેડામાં ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ હોવાનો દાવો કર્યો અને વિષ્ણુભાઈ તથા તેમની પત્નીને રૂ.70 લાખમાં PR વિઝા કરાવી આપવાની ખાતરી આપી. એટલું જ નહીં, તેણે IELTS પરીક્ષા પણ ‘સેટિંગ’થી પાસ કરાવી દેવાનું વચન આપ્યું હતું. અશ્વિનભાઈ પર વિશ્વાસ કરીને વિષ્ણુભાઈએ પ્રારંભિક એડવાન્સ તરીકે રૂ.35 લાખ આપવાનું નક્કી કર્યું.

ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમણે જુલાઈ 2023માં અશ્વિનભાઈ કેનેડા ગયા બાદ રૂ.10 લાખ રોકડા અને રૂ.25 લાખના પાંચ અનસાઇન્ડ ચેક અશ્વિનભાઈની પુત્રી સુવર્ણાબેન પટેલ (ઉર્ફે ટીના પટેલ)ને આપ્યા હતા. આરોપીઓએ કહ્યું હતું કે અશ્વિનભાઈની ગેરહાજરીમાં સુવર્ણાબેન તમામ પેપરવર્ક અને પેમેન્ટ સંભાળશે. વિષ્ણુભાઈએ પોતાના અને પત્નીના પાસપોર્ટ, શૈક્ષણિક દસ્તાવેજો વગેરે પણ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર,ફરિયાદીએ આપેલા પાંચેય ચેક અશ્વિનભાઈ પટેલ, સૂરજભાઈ પ્રજાપતિ અને જીગરભાઈ પટેલના અલગ-અલગ ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની જાણ વિષ્ણુભાઈને પાસબુક ચેક કરતાં થઈ હતી.થોડા અઠવાડિયા પછી આરોપીઓએ જાણ કરી કે IELTSનું ‘સેટિંગ’ થઈ શક્યું નથી અને વિષ્ણુભાઈએ જાતે જ પરીક્ષા આપવી પડશે.

વારંવાર ખાતરી આપવા છતાં PR વિઝાની ફાઈલ આગળ ન વધતા વિષ્ણુભાઈને શંકા ગઈ. જ્યારે તેમણે ઉઘરાણી કરી તો અશ્વિનભાઈએ વિષ્ણુભાઈની સાસુના વોટ્સએપ પર એક નકલી (PDF) લેટર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) લેટર મોકલીને પ્રક્રિયા ચાલુ હોવાનો દેખાવ કર્યો. જોકે, વિષ્ણુભાઈએ ચકાસણી કરતાં આ દસ્તાવેજ બોગસ હોવાનું માલુમ પડ્યું હતું.જેથી અશ્વિનભાઈને ફોન ઉપર સંપર્ક કર્યો અને સુવર્ણાને વાત કરતા તેઓએ પણ ગોળગોળ જવાબ આપ્યા હતા. જેથી બંને દ્વારા રૂ. 35 લાખ લઈને કેનેડા ન મોકલી છેતરપિંડી કરવામાં આવી હોવાથી રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...