Friday, January 23, 2026

ખુદ કૃષ્ણ બન્યા તારણહાર ! ગુજરાતી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મમાં શું છે ખાસ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતી સિનેમા માટે આ વર્ષ ખરેખર ખાસ રહ્યું છે. ‘લાલો’ ફિલ્મે બૉક્સ ઑફિસ પર જે ધમાકો કર્યો છે એ અભૂતપૂર્વ છે. 10 ઑક્ટોબર, શુક્રવારના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતમાં ભલે ધીમી ગતિ પર આગળ વધી હોય, પરંતુ ધીમે ધીમે તેણે દર્શકોનાં દિલ જીતી લીધાં અને હવે એ રેકોર્ડ તોડી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 10 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ બોક્સ ઓફિસ પર તહલકો મચાવી દીધો છે. ધીમી શરૂઆત કરનારી આ ફિલ્મે દિવાળી પછી રોકેટ ગતિએ આગળ વધીને 26 દિવસમાં 8.50 કરોડ+ અને વર્લ્ડવાઇડ ગ્રોસ 10 કરોડ+ કમાણી કરી લીધી છે. ફિલ્મનું બજેટ આશરે સવાથી દોઢ કરોડ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, એટલે કે તે અત્યારથી જ સુપરહિટ સાબિત થઈ ચૂકી છે., અને ‘ચણિયા ટોળી’ (18 કરોડ)નો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. દર્શકો થિયેટરમાંથી બહાર આવીને ‘જય દ્વારકાધીશ’ બોલી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર રિલ્સ પણ વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મે પહેલા દિવસે માત્ર 2 લાખ કમાયા હતા, અને પહેલા 18 દિવસ સુધી કલેક્શન 5 લાખથી નીચે રહ્યું. પરંતુ દિવાળી પછી દર્શકોના મોઢેથી મોઢા પ્રચારથી ફિલ્મે ધમાકો કર્યો. 19મા દિવસે પહેલીવાર 10 લાખ પાર, અને મંગળવારે 2 કરોડનો આંકડો પાર કર્યો. બુકમાયશો પર છેલ્લા 24 કલાકમાં 39 હજાર ટિકિટ વેચાઈ, જે આયુષ્માનની ‘થામા’ (36 હજાર) કરતાં વધુ છે. પરેશ રાવલની ‘ધ તાજ સ્ટોરી’ને પણ પાછળ છોડી.

ફિલ્મની સ્ટોરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. એક રિક્ષા ચાલક યુવક દારૂ-ખરાબ સંગતમાં ફસાય છે, ત્યારે કૃષ્ણ ભગવાન તેને સુધારવા આવે છે. શૂટિંગ જૂનાગઢના ભવનાથ, ગિરનાર, દામોદર કુંડ અને નરસિંહ મહેતાના ચોરામાં થયું છે. દર્શકો કહે છે: “આવી ફિલ્મ ક્યારેય જોઈ નથી, જૂનાગઢની ભૂમિ-સંસ્કૃતિ જીવંત થઈ.” થિયેટરમાંથી બહાર આવીને ‘જય દ્વારકાધીશ’ બોલે છે.

સોશિયલ મીડિયા પર રિલ્સ વાયરલ: દર્શકો કહે છે, “જૂનાગઢની સંસ્કૃતિ જીવંત થઈ, થિયેટરમાંથી બહાર આવીને ‘જય દ્વારકાધીશ’ બોલાવ્યું.” ફિલ્મને લઈને ગુજરાતીઓમાં ક્રેઝ વધ્યો,”ગુજરાતી ફિલ્મો માટે આ અભૂતપૂર્વ છે મોઢેથી મોઢા પ્રચારથી ધમાકો કહેવાય રહ્યુ છે.”

ફિલ્મનું બજેટ 1.5 કરોડ હતું, જે 26 દિવસમાં 4 ગણો નફો કમાઈ ચૂકી છે. વર્લ્ડવાઇડ ગ્રોસ 10 કરોડ+ પાર. ‘ચણિયા ટોળી’ (18 કરોડ)નો રેકોર્ડ તોડવાની નજીક છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...