Thursday, January 22, 2026

નવા વાડજની આ શાળાની અનોખી પહેલ, જ્યાં પ્રાથમિક શાળાના બાળકો શીખશે ‘મની મેનેજમેન્ટ’

spot_img
Share

અમદાવાદ : પ્રાથમિક શિક્ષણના પ્રારંભથી જ નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે આર્થિક બચતના પાઠ એટલે મની મેનેજમેન્ટ પણ શીખવવામાં આવશે. જીવનમાં સફળ બનવાના નિશ્ચય સાથે શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી જ રહ્યાં છે પરંતુ તેમને આર્થિક બચતનું મહત્વ પણ શરુઆતથી જ સમજાવવામાં આવશે તો જીવન વધુ સરળ બનશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાંપ્રત સમયમાં શાળા એટલે શિક્ષણની સાથે જીવન ઉપયોગી જ્ઞાનથી માહિતગાર કરવાનું એક પાવન સ્થળ. નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળાએ આવા જ એક પ્રયોગના ભાગ રૂપે તા. 31/7/25 ને ગુરુવારે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું.જેમાં SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ) ના જાણીતા તજજ્ઞ સંજયભાઈ ડોડીયા કે જેઓ ઝીલ ઇન્વેસમેન્ટના ફાઉન્ડર છે, તેમના દ્વારા શાળાના શિક્ષકોને પ્રોજેક્ટર દ્વારા આર્થિક રોકાણ અને ભાવિમાં સારા રિટર્ન માટે શું થઇ શકે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

શિક્ષકો ક્લાસમાં બાળકોને બચત અને તેના યોગ્ય રોકાણ બાબતે અત્યારથી માહિતગાર કરે, જાગૃત કરે, ખોટા ખર્ચ ન કરે તેના માટે જીણામાં જીણી તાલીમ સંજયભાઈ દ્વારા આપવામાં આવી હતી.જેથી આવનાર સમય અને મોંઘવારીને નાથવા ભણતર સાથે બાળકોને રોકાણની યોગ્ય સમજ મળે તો બાળકોનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત કરી શકાય..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...