Wednesday, February 4, 2026

ચાંદલોડિયા વોર્ડમાં ફરજ બજાવતા મ્યુનિ.અધિકારીએ ચિઠ્ઠી લખી ઘર છોડ્યું…જાણો શું લખ્યું ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં આસીટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રોહનભાઇ મિસ્ત્રી શનિવારે રહસ્યમય સજોગોમાં ઓફિસમાં પરિવારને સંબોધિત કરતી ચિઠ્ઠી લખીને ચાલ્યા ગયા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.ત્યારે પરિવારજનોએ 982570105 જાહેર કરીને મદદ માટે અપીલ કરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તણાવમાં રહેતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. ડૉક્ટરે પરિવારને પત્ર પણ લખ્યો છે. જેમાં તેઓએ નોકરીમાં સ્ટ્રેસ હોવાની વાત કરી છે. આવો જોઈએ શું લખ્યું છે પત્રમાં

મ્યુનિ મદદનીશ ઈજનેરનો પત્ર
મમ્મી, પપ્પા, બ્રિજેશ, અંકિતા, રશ્મી મને માફ કરજો. હું ઘર છોડીને જઉં છું, મને શોધવાનો પ્રયત્ન ના કરતા. પરમ દિવસે માનસિક તણાવમાં મેં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો પણ તમે બચાવી લીધો એટલે હવે આત્મહત્યા નહીં કરું. બસ ઘર છોડીને જઉં છું. અત્યારે બધો સ્ટાફ ખૂબ જ સ્ટ્રેસમાં છે પણ મારાથી સહન ન થઈ શક્યો એટલે હું આ પગલું ભરું છું. મારા બધા જ સાહેબો અને સહયોગીઓ ખૂબ જ સારા છે, પણ સોરી.

મમ્મી, પપ્પા, બ્રિજેશ, અંકિતા, રશ્મી હું જવાબદારીથી ભાગી રહ્યો છું. બ્રિજેશ, રશ્મી, અંકિતા, મમ્મી, પપ્પા, માહી અને પર્વનું ધ્યાન રાખજો. બ્રિજેશ મને માફ કરજે, તારા ઉપર બહુ જવાબદારી નાખીને જઉં છું પણ હું આત્મહત્યા નહીં કરું. અંકિતા તારી સાથે જિંદગીનાં 12 વર્ષ ખૂબ જ સારાં ગયાં પણ મને માફ કરજે. હુ તેને અડધેથી છોડીને જઈ રહ્યો છું. મમ્મી પપ્પા તમે ટેન્શન ના લેતા. માહી-પર્વ ખૂબ જ ભણજો અને દાદા-દાદીનું નામ રોશન કરજો. બસ બીજું કંઈ નહીં. મારા બાઈકની ચાવી મારી ઓફિસના ડ્રોઅરમાં છે. મારી પાછળ સમયના બગાડતાં. મારી નોકરીમાં સ્ટ્રેસ લઈ ના શક્યો એટલે જવાબદારીથી દૂર જઈ રહ્યો છું. સોરી. રોહન મિસ્ત્રી, મદદનીશ ઈજનેર

આ ચિઠ્ઠી મળતા પરિવારજનોએ ઓફિસ ઉપરાંત, અનેક સ્થળોએ શોધખોળ કરી હતી. પણ રોહનભાઇની ભાળ ન મળતા સોલા પોલીસ મથકે તેમના ગૂમ થવા અંગે જાણવાજોગ નોંધ કરાવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...