Thursday, November 13, 2025

ચાંદલોડિયા વોર્ડમાં ફરજ બજાવતા મ્યુનિ.અધિકારીએ ચિઠ્ઠી લખી ઘર છોડ્યું…જાણો શું લખ્યું ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં આસીટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રોહનભાઇ મિસ્ત્રી શનિવારે રહસ્યમય સજોગોમાં ઓફિસમાં પરિવારને સંબોધિત કરતી ચિઠ્ઠી લખીને ચાલ્યા ગયા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.ત્યારે પરિવારજનોએ 982570105 જાહેર કરીને મદદ માટે અપીલ કરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તણાવમાં રહેતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. ડૉક્ટરે પરિવારને પત્ર પણ લખ્યો છે. જેમાં તેઓએ નોકરીમાં સ્ટ્રેસ હોવાની વાત કરી છે. આવો જોઈએ શું લખ્યું છે પત્રમાં

મ્યુનિ મદદનીશ ઈજનેરનો પત્ર
મમ્મી, પપ્પા, બ્રિજેશ, અંકિતા, રશ્મી મને માફ કરજો. હું ઘર છોડીને જઉં છું, મને શોધવાનો પ્રયત્ન ના કરતા. પરમ દિવસે માનસિક તણાવમાં મેં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો પણ તમે બચાવી લીધો એટલે હવે આત્મહત્યા નહીં કરું. બસ ઘર છોડીને જઉં છું. અત્યારે બધો સ્ટાફ ખૂબ જ સ્ટ્રેસમાં છે પણ મારાથી સહન ન થઈ શક્યો એટલે હું આ પગલું ભરું છું. મારા બધા જ સાહેબો અને સહયોગીઓ ખૂબ જ સારા છે, પણ સોરી.

મમ્મી, પપ્પા, બ્રિજેશ, અંકિતા, રશ્મી હું જવાબદારીથી ભાગી રહ્યો છું. બ્રિજેશ, રશ્મી, અંકિતા, મમ્મી, પપ્પા, માહી અને પર્વનું ધ્યાન રાખજો. બ્રિજેશ મને માફ કરજે, તારા ઉપર બહુ જવાબદારી નાખીને જઉં છું પણ હું આત્મહત્યા નહીં કરું. અંકિતા તારી સાથે જિંદગીનાં 12 વર્ષ ખૂબ જ સારાં ગયાં પણ મને માફ કરજે. હુ તેને અડધેથી છોડીને જઈ રહ્યો છું. મમ્મી પપ્પા તમે ટેન્શન ના લેતા. માહી-પર્વ ખૂબ જ ભણજો અને દાદા-દાદીનું નામ રોશન કરજો. બસ બીજું કંઈ નહીં. મારા બાઈકની ચાવી મારી ઓફિસના ડ્રોઅરમાં છે. મારી પાછળ સમયના બગાડતાં. મારી નોકરીમાં સ્ટ્રેસ લઈ ના શક્યો એટલે જવાબદારીથી દૂર જઈ રહ્યો છું. સોરી. રોહન મિસ્ત્રી, મદદનીશ ઈજનેર

આ ચિઠ્ઠી મળતા પરિવારજનોએ ઓફિસ ઉપરાંત, અનેક સ્થળોએ શોધખોળ કરી હતી. પણ રોહનભાઇની ભાળ ન મળતા સોલા પોલીસ મથકે તેમના ગૂમ થવા અંગે જાણવાજોગ નોંધ કરાવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...