Friday, March 6, 2026

અમદાવાદીઓને રાહત : સુભાષબ્રિજ રિપેરિંગ બાદ જાન્યુઆરી 2027માં ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ટ્રાફિકની જીવાદોરી સમાન અને સાબરમતી નદી પરના મહત્વપૂર્ણ સુભાષ બ્રિજ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ એક મોટો નિર્ણય લેતા 236 કરોડ રૂપિયાના ખર્ચે તેના રીડેવલપમેન્ટ અને વિસ્તરણના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.હયાત સુભાષબ્રિજને રિપેરિંગ કરીને આગામી 9 મહિનામાં ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે. જાન્યુઆરી 2027 સુધીમાં સુભાષબ્રિજ વાહનચાલકો માટે શરૂ કરી દેવામાં આવશે.

સુભાષબ્રિજના રીડેવલપમેન્ટ અને નવા બે લેન સાથે નવો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત રકમ રૂ. 232 કરોડ હતી જેમાં 1.5 ટકા વધીને રૂ. 236 કરોડના ખર્ચે મંજૂરી આપવામા આવી છે. સુભાષબ્રિજને રીડેવલપમેન્ટ કરવામાં આવનાર છે, જેમાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવામાં આવશે જે પિલ્લર છે અને સબ સ્ટ્રક્ચર છે તેને મજબૂત બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ, હયાત સુભાષ બ્રિજને તોડી પાડી નવો બ્રિજ બનાવવાનું કામ બે ફેઝમાં પૂર્ણ થશે. ફેઝ-1ની કામગીરીમાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી પાડી તેને સ્ટીલ સ્ટ્રક્ચરથી રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરાશે. ફેઝ 1માં હયાત સબ સ્ટ્રક્ચર અને ફાઉન્ડેશનને સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરી કરવામાં આવશે. કમ્પોઝિટ સ્ટીલ ગર્ડર ટાઇપનું સુપરસ્ટ્રક્ચર તૈયાર કરાશે.

જ્યારે ફેઝ-2માં હયાત બ્રિજની બંને બાજુના લેવલે 2-2 લેનના નવા બ્રિજ (આઇકોનિક સ્ટીલ સ્ટ્રક્ચર ફસાડ લાઇટિંગ સાથે)ના નિર્માણ કરવાની કામગીરી હાથ ધરાશે. આ માટે ટેન્ડરની રકમ રૂ. 236,00,00,000 (જી.એસ.ટી સિવાય) ઇ.પી.સી ટેન્ડર નક્કી કરાઈ છે, જ્યારે સંપૂર્ણ પ્રોજેક્ટ અંદાજે રૂ.316,39,57,043ના ખર્ચે પૂર્ણ થવાનો તથા સંપૂર્ણ કામ 24 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ લગાવાયો છે.

ફેઝ 1માં બ્રિજ બનાવવાની કામગીરી માટે 9 માસની સમયમર્યાદા તથા ફેઝ-2માં બંને બાજુ નવા 2+2 લેનના સેપરેટ સ્ટ્રક્ચરના બ્રિજ બનાવવાની કામગીરી સાથે કુલ 24 માસના સમયમાં કામગીરી પૂર્ણ કરવાનું AMCએ આયોજન કર્યું છે. ત્યારે 9 માસમાં ફેઝ 1નું કામ પૂર્ણ થતા સુભાષ બ્રિજ પર ફરી એકવાર રાબેતા મુજબ વાહનવ્યવહાર શરૂ થતા અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...