Thursday, September 18, 2025

અમદાવાદની યુવતીએ જબરું કર્યું, PSI બનવા આવો તુક્કો અજમાવ્યો, પછી શું થયું જાણો ?

Share

Share

ગાંધીનગર : અમદાવાદની યુવતી PSI બનવા ખોટા ડોક્યુમેન્ટનાં આધારે પોલીસ એકેડમીમાં ચાલતી PSIની ટ્રેનિંગ માટે ગાંધીનગર પહોંચી હતી. યુવતીએ ગેટ પર તૈનાત કર્મચારીને પત્ર સાથેના તમામ દસ્તાવેજો દેખાડ્યા હતા અને કહ્યું કે તે ટ્રેનિંગ માટે આવી છે.લિસ્ટમાં નામ ન હોવાથી અને હસ્ત લિખિત લેટરના કારણે શંકા જતાં ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવતી સામે ફરિયાદ નોંધાઈ છે.

તાજેતરમાં લેવાયેલી પોલીસ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોની કરાઈ એકેડમી ખાતે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ બનવા માંગતી યુવતી પિતાનું સપનું પૂરું કરવા પોલીસમાં જોડાવા માંગતી હતી. આ માટે તેણે PSIની ભરતીની પરીક્ષા પણ આપી હતી, પરંતુ તે પાસ થઈ શકી નહોતી. યુવતી ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી પત્ર હાથથી લખી ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયની ખોટી સહી ટ્રેનિંગ માટે કરી પહોંચી હતી. લિસ્ટમાં નામ ન હોવાથી અને હસ્ત લિખિત લેટરના કારણે શંકા જતાં ભાંડો ફૂટ્યો હતો.

આ મામલે પોલીસે યુવતી પર નકલી દસ્તાવેજો તૈયાર કરવા અને ઈન્ચાર્જ ડીજીપીની નકલી સહી કરવાનો કેસ નોંધ્યો છે. યુવતી વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 466, 471 અને 511 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...