Wednesday, January 14, 2026

તસ્કરી: ગોડાદરામાં પાઈપથી ચોથા માળ પર ચઢી 2 દુકાનમાંથી 48 હજારની ચોરી

spot_img
Share

સુરત3 કલાક પહેલા

કૉપી લિંકપ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

દુકાનની પાછળની બારીમાંથી ઘૂસતો ચોર સીસી કેમેરામાં કેદ

ગોડાદરા-પરવત પાટિયા રોડ પર આવેલ મિડાસ સ્ક્વેરમાં ચોથા માળે ચોર પાઈપ મારફતે ચોથા માળે ચઢી એક દુકાનમાંથી સાડી-કુર્તી અને બીજી દુકાનમાંથી પાવર બેંક મળી કુલ 48 હજાર રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયો હતો. ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચાલીસગાંવ તાલુકાના પીંપરી ગામના વતની નીલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ પરવત ગામમાં સિલિકોન ફ્લેટ પાસે આવેલ ઠાકોરદ્વાર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે.

તેઓ કાપડનો વેપાર કરે છે. ગોડાદરા- પરવત પાટિયા રોડ પર આવેલ મિડાસ સ્ક્વેરમાં ત્રીજા માળે તેમની સાડી-કુર્તી અને ડ્રેસ મટેરીયલ્સની દુકાન છે. શુક્રવારે સાંજે તેઓએ દુકાન બંધ કરી હતી. શનિવારે તેમને ત્યાં નોકરી કરતી યુવતી આવી ત્યારે ખબર પડી કે દુકાનમાં ચોરી થઈ છે.

તસ્કર તેમની દુકાનની પાછળ આવેલ બારીમાંથી દુકાનમાં પ્રવેશ્યો હતો. તસ્કર પાછળના ભાગેથી પાઈપની મદદથી બારીમાંથી દુકાનમાં પ્રવેશ્યો હતો. દુકાનમાંથી સાડીઓ અને કુર્તી મળીને કુલ ૪૭ હજાર રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયો હતો.

તસ્કર મિડાસ સ્ક્વેરમાં ચોથા માળે પણ એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યો હતો. ત્યાંથી પાવર બેંક ચોરી કરી હતી. તસ્કરે કુલ 48 હજાર રૂપિયાની ચોરી કરી હતી. તસ્કર સીસી કેમેરામાં ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. નીલેશભાઈ પાટીલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...