Wednesday, September 17, 2025

તસ્કરી: ગોડાદરામાં પાઈપથી ચોથા માળ પર ચઢી 2 દુકાનમાંથી 48 હજારની ચોરી

Share

Share

સુરત3 કલાક પહેલા

કૉપી લિંકપ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

દુકાનની પાછળની બારીમાંથી ઘૂસતો ચોર સીસી કેમેરામાં કેદ

ગોડાદરા-પરવત પાટિયા રોડ પર આવેલ મિડાસ સ્ક્વેરમાં ચોથા માળે ચોર પાઈપ મારફતે ચોથા માળે ચઢી એક દુકાનમાંથી સાડી-કુર્તી અને બીજી દુકાનમાંથી પાવર બેંક મળી કુલ 48 હજાર રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયો હતો. ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચાલીસગાંવ તાલુકાના પીંપરી ગામના વતની નીલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ પરવત ગામમાં સિલિકોન ફ્લેટ પાસે આવેલ ઠાકોરદ્વાર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે.

તેઓ કાપડનો વેપાર કરે છે. ગોડાદરા- પરવત પાટિયા રોડ પર આવેલ મિડાસ સ્ક્વેરમાં ત્રીજા માળે તેમની સાડી-કુર્તી અને ડ્રેસ મટેરીયલ્સની દુકાન છે. શુક્રવારે સાંજે તેઓએ દુકાન બંધ કરી હતી. શનિવારે તેમને ત્યાં નોકરી કરતી યુવતી આવી ત્યારે ખબર પડી કે દુકાનમાં ચોરી થઈ છે.

તસ્કર તેમની દુકાનની પાછળ આવેલ બારીમાંથી દુકાનમાં પ્રવેશ્યો હતો. તસ્કર પાછળના ભાગેથી પાઈપની મદદથી બારીમાંથી દુકાનમાં પ્રવેશ્યો હતો. દુકાનમાંથી સાડીઓ અને કુર્તી મળીને કુલ ૪૭ હજાર રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયો હતો.

તસ્કર મિડાસ સ્ક્વેરમાં ચોથા માળે પણ એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યો હતો. ત્યાંથી પાવર બેંક ચોરી કરી હતી. તસ્કરે કુલ 48 હજાર રૂપિયાની ચોરી કરી હતી. તસ્કર સીસી કેમેરામાં ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. નીલેશભાઈ પાટીલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...