Wednesday, February 18, 2026

આગથી ભાગદોડ મચી: સુરતના પુણા વિસ્તારમાં મંડપના ગોડાઉનમાં લાગેલી આગથી ભય ફેલાયો, ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

spot_img
Share

સુરત36 મિનિટ પહેલા

આગ લાગતાં ખુરશીઓ સહિતનો સામાન સળગ્યો હતો.

આગમાં સોફા, ખુરશી, કાપડ સહિતનો સામાન સળગી ગયો

સુરતના પુણા વિસ્તારમાં આવેલા વનમાળી જંકશન પાસે એક મંડપના ગોડાઉનમાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભાગદોડ મચી ગઇ હતી. જોકે ફાયર સ્ટેશન નજીકમાં હોવાથી કોઈ મોટી જાનહાનિ નોંધાય નહોતી. ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી.આગ લાગવા પાછળનું કારણ જાણી શક્યા ન હતાં.

3 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી આવી હતી.

3 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી આવી હતી.

ત્રણ ફાયર સ્ટેશનને કોલ અપાયોફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ લગભગ 9:09 મિનિટનો હતો.પુણાના વનમાળી જંક્શન નજીક આવેલા જય અબે મંડપના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ બાદ ત્રણ ફાયર સ્ટેશનને કોલ અપાયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા સમયસર ઘટના સ્થળે પહોંચી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. પ્લાસ્ટિક સહિતની વસ્તુઓમાં લાગેલી આગ પર ફાયરના જવાનોએ કાબૂ મેળવી લીધો હતો.

આગને પગલે અફડાતફડીનો માહોલ પેદા થયો હતો.

આગને પગલે અફડાતફડીનો માહોલ પેદા થયો હતો.

સામાન સળગી ગયોજગદીશ પટેલ (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, કોલ મળતા જ પુણા, કાપોદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડીઓને કોલ આપી ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી. આગ પતરાના શેડમાં લાગી હતી. આગમાં સોફા, ખુરશી, કાપડ સહિતનો સામાન સળગી ગયો હતો. જોકે સમયસર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...