Thursday, March 12, 2026

આ લક્ષણો વાળા લોકોએ શરદી-ઉધરસને હળવાશમાં ન લેવું જોઇએ, H3N2નું જોખમ હોઈ શકે

spot_img
Share

અમદાવાદ : એક તરફ ઉનાળાની શરૂઆત થઈ છે અને બપોરના સમયે ગરમી તો વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. આ બેવડી ઋતુમાં કોરોના અને વાયરલ ઇન્ફેક્શનના કેસો અમદાવાદમાં ખૂબ જ વધી ગયા છે.હોસ્પિટલોમાં દર્દીઓની લાઇન લાગી રહી છે, જ્યારે લગભગ મોટાભાગના પરિવારમાં તાવ અને શરદીના દર્દી સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો, રોજના 3500 કરતાં વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ખાસ કરીને, H3N2નું જોખમ વધી રહ્યું છે. આવામાં લોકોએ શરદી-ઉધરસને હળવાશથી ન લેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.

આ લક્ષણો જણાય તો તુરંત જ હોસ્પિટલમાં દાખલ થઇ જાઓ

– શ્વાસ લેવામાં તકલીફ પડવી
– ઓક્સિજન લેવલ 93ની નીચે જવું
– છાતી અને પેટમાં દુખાવો
– ઊલટી થવી
– સુધારા બાદ ફરી તાવ અને ઉધરસ થાય
– આ લોકોએ શરદી-ઉધરસને હળવાશમાં ન લેવું જોઇએ, H3N2નું જોખમ હોઈ શકે

H3N2 વાઇરસથી બચવા માટે 6 ઉપાય- સાબુથી હાથ નિયમિત ધોવા જોઇએ.

– સેનિટાઇઝરને સાથે જ રાખવું અને ઉપયોગ પણ કરવો.
– બીમાર વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાનું ટાળો.
– જો તમે છીંક અથવા ઉધરસ આવી રહી છે, તો તમારા મોંને ઢાંકો અને માસ્ક પહેરો. કારણ કે, વાઇરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ છે.
– ઘણી વાર આંખો અને ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો.
– જો તમે ભીડવાળી જગ્યાએ જઈ રહ્યા છો, તો માસ્ક પહેરવાનું ભૂલશો નહીં.

H3N2 વાઇરસનો ઈલાજ શું છે?

– તમે તમારી જાતને હાઇડ્રેટેડ રાખો, પ્રવાહી પીતા રહો.
– જો તમને તાવ, ઉધરસ અથવા માથાનો દુખાવો હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
– જો તમને તાવ, શરદી અને ઉધરસ હોય તો મેડિકલમાંથી એન્ટિબાયોટિક્સ ન લો, ડોક્ટરે સૂચવેલી દવા જ લેવી.
– ઘરની બહાર માસ્ક પહેરો અને ભીડવાળી જગ્યાઓ ટાળો.

વૃદ્ધો, બાળકો, અસ્થમાના દર્દીઓ, હૃદય રોગ અથવા સંબંધિત સમસ્યા, કિડની સમસ્યા દર્દીઓ, સગર્ભા સ્ત્રી, જે લોકો ડાયાલિસિસથી પીડાઈ રહ્યા છે તેવા લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...