Friday, March 20, 2026

H3N2 વાયરસને લઈને આરોગ્ય તંત્ર સતર્ક : અમદાવાદની આ હોસ્પિટલોમાં ફ્રી માં થશે H3N2 ટેસ્ટ

spot_img
Share

અમદાવાદ : દેશભરમાં કોરોના પછી H3N2 વાયરસનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને આજે ગુજરાતમાં પણ આ વાયરસના કારણે પ્રથમ મૃત્યુ બાદ અમદાવાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયુ છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સિવિલ, SVP અને LG હોસ્પિટલમાં H3N2 ના ટેસ્ટ ફ્રી માં કરવામાં આવશે. H3N2 ના ટેસ્ટ માટે બી જે મેડિકલ કોલેજ અને સોલા સિવિલ ખાતે સુવિધા ઉભી કરાઈ છે.

આપને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ મહિનામાં સ્વાઈન ફ્લુના ત્રણ કેસ સામે આવ્યા છે. તો H3N2 ના 19 કેસ સામે આવ્યા છે. ચાલુ મહિનામાં H3N2 ના 104 ટેસ્ટ કરાયા, પરંતુ તેમાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. મહત્વનું છે કે વાયરસના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓના H3N2 ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.તો આ તરફ રાજ્યમાં H3N2 વાયરસથી પ્રથમ મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે.

વડોદરામાં 58 વર્ષીય મહિલાનું H3N2ના કારણે મૃત્યુ થયું હતું. મહિલા દર્દીને હાઈપર ટેન્શનનાની સમસ્યા પણ હતી અને છેલ્લાં ઘણા દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા. વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. H1N1થી મ્યુટેટ થયેલા H3N2 વાયરસથી દેશમાં આ ત્રીજુ મોત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...