Monday, November 10, 2025

‘કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરો’: વિધાનસભામાં ઉઠ્યો મુદ્દો

spot_img
Share

ગાંધીનગર : કોર્ટ મેરેજ માટે માતા-પિતાની પરવાનગી અનિવાર્ય કરવાની માંગ ગુજરાતમાં અગાઉ પણ ઉઠતી રહી છે ત્યારે હાલ ચાલતા વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો ફરી ચર્ચાયો હતો. ધારાસભ્યોએ માંગ કરી છે કે રજિસ્ટર્ડ કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તેમજ જે-તે જિલ્લામાં જ લગ્નની નોંધણી કરવામાં આવે.

કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે માંગ કરતાં કહ્યું કે, રજિસ્ટર્ડ કોર્ટ મેરેજના મામલામાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત કરવામાં આવવી જોઈએ અને આ રજીસ્ટર્ડ મેરેજ જે-તે જિલ્લામાં જ થવાં જોઈએ.એક જિલ્લાનું યુગલ અન્ય જિલ્લામાં જઈ કોર્ટ લવ મેરેજ કરે છે. માતા-પિતાની હાજરીમાં જ લવ મેરેજની નોંધણી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

તો બીજી તરફ આ મમાલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું હતું. આજે ધારાસભ્યોએ માંગ કરી કે લગ્નની નાંધણી ગામમાં થવી જોઇંએ. લગ્નની વિધિ પણ ગામમાં થવી જોઇંએ. પંચની સહીની જરૂર હોય એ પંચ પણ ગામના જ હોવા જોઇએ. જે લોકોને દિકરીઓ મળતી નથી તેવા અસામાજિક તત્વો દસ્તાવેજના આધારે લવ મેરેજ કરે છે. જેમાં દિકરીએ પસ્તાવાનો વારો આવે છે. કોઇ પણ પરિવારે મોભાદાર થતાં ચારથી પાંચ પેઢીનો સમય લાગી જતો હોય છે. અસામાજિક તત્વો દિકરીને ફોસલાવી લવ મેરેજ કરે ત્યારે મોભાદાર વ્યક્તિ શરમમાં મુકાય છે.

મીડિયા સાથેની વાતચીતમાં ફતેસિંહ ચૌહાણે કહ્યું કે, અમુક કિસ્સાઓમાં પ્રેમલગ્ન કે કોર્ટ મેરેજ મા-બાપની મંજૂરી વગર થાય છે, જેના કારણે ક્રાઇમ રેશિયો પણ ઊંચો જાય છે. જો માતા-પિતાની મંજૂરીથી આવાં લગ્ન થાય તો આ કિસ્સાઓમાં પચાસ ટકા જેટલો ઘટાડો જોવા મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...