Thursday, March 12, 2026

‘કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરો’: વિધાનસભામાં ઉઠ્યો મુદ્દો

spot_img
Share

ગાંધીનગર : કોર્ટ મેરેજ માટે માતા-પિતાની પરવાનગી અનિવાર્ય કરવાની માંગ ગુજરાતમાં અગાઉ પણ ઉઠતી રહી છે ત્યારે હાલ ચાલતા વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો ફરી ચર્ચાયો હતો. ધારાસભ્યોએ માંગ કરી છે કે રજિસ્ટર્ડ કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તેમજ જે-તે જિલ્લામાં જ લગ્નની નોંધણી કરવામાં આવે.

કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે માંગ કરતાં કહ્યું કે, રજિસ્ટર્ડ કોર્ટ મેરેજના મામલામાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત કરવામાં આવવી જોઈએ અને આ રજીસ્ટર્ડ મેરેજ જે-તે જિલ્લામાં જ થવાં જોઈએ.એક જિલ્લાનું યુગલ અન્ય જિલ્લામાં જઈ કોર્ટ લવ મેરેજ કરે છે. માતા-પિતાની હાજરીમાં જ લવ મેરેજની નોંધણી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

તો બીજી તરફ આ મમાલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું હતું. આજે ધારાસભ્યોએ માંગ કરી કે લગ્નની નાંધણી ગામમાં થવી જોઇંએ. લગ્નની વિધિ પણ ગામમાં થવી જોઇંએ. પંચની સહીની જરૂર હોય એ પંચ પણ ગામના જ હોવા જોઇએ. જે લોકોને દિકરીઓ મળતી નથી તેવા અસામાજિક તત્વો દસ્તાવેજના આધારે લવ મેરેજ કરે છે. જેમાં દિકરીએ પસ્તાવાનો વારો આવે છે. કોઇ પણ પરિવારે મોભાદાર થતાં ચારથી પાંચ પેઢીનો સમય લાગી જતો હોય છે. અસામાજિક તત્વો દિકરીને ફોસલાવી લવ મેરેજ કરે ત્યારે મોભાદાર વ્યક્તિ શરમમાં મુકાય છે.

મીડિયા સાથેની વાતચીતમાં ફતેસિંહ ચૌહાણે કહ્યું કે, અમુક કિસ્સાઓમાં પ્રેમલગ્ન કે કોર્ટ મેરેજ મા-બાપની મંજૂરી વગર થાય છે, જેના કારણે ક્રાઇમ રેશિયો પણ ઊંચો જાય છે. જો માતા-પિતાની મંજૂરીથી આવાં લગ્ન થાય તો આ કિસ્સાઓમાં પચાસ ટકા જેટલો ઘટાડો જોવા મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...