Thursday, March 12, 2026

CM ભુપેન્દ્ર પટેલે CPR ટ્રેનિંગ અભિયાનનો કરાવ્યો પ્રારંભ, CPR ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય?

spot_img
Share

અમદાવાદ : રાજયમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટકના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આવા વિકટ સમયે જો વ્યક્તિને CPR ટ્રેનિંગ આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. આજ હેતુથી ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકરો માટે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કર્યું છે. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં એક તાલિમ શિબિરમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા, અને તેમણે સીપીઆર વિષે માહિતી મેળવી લોકોને જાગૃત કર્યા હતા. રાજ્યની 38 મેડિકલ કોલેજમાં ભાજપના કાર્યકર્તાઓને એક સાથે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં 1200 ડોક્ટર જોડાયા છે. જોઇએ આ જીવન રક્ષક સીપીઆર શું છે.

ભાજપ ગુજરાત પ્રદેશના કાર્યકરોને ડોક્ટર સેલે 2 એપ્રિલથી અંદાજે 1200થી વધુ તબીબો દ્વારા ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં CPR ટ્રનિંગ આપવામાં આવી છે. આ ટ્રેઈનિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની બી.જે મેડિકલ કોલેજથી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ સુરતથી કરાવી હતી. આ ટ્રેઈનિંગ સેશન સવારે 9 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુઘી ચાલશે.

CPR ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય?
સૌથી પહેલા દર્દીને જમીન પર સુવડાવી તેની નાડી તપાસો. જો પલ્સ સતત ઘટે, વ્યક્તિ બેભાન થાય તો તરત જ CPR આપો. CPR આપવા માટે તમારા હાથને લોક કરો. બંને હાથને એકબીજા પર રાખો, આંગળીઓને એકબીજા સાથે જોડી દો. તમારો હાથ દર્દીની છાતીની મધ્યમાં રાખો અને છાતીને કંપ્રેસ કરો. કંપ્રેસ ઝડપથી કરવું જોઈએ, એક મિનિટમાં લગભગ 100 વખત છાતીને દબાવવી પડે.

દર્દી શ્વાસ ન લઈ શકે ત્યાં સુધી કંપ્રેસ કરવાનું ચાલુ રાખો. દરમિયાન મોંથી મોં વચ્ચે શ્વાસ આપવાનો પ્રયાસ કરો. CPR હૃદયમાં લોહીનો પ્રવાહ વધારશે, જે દર્દીનો જીવ બચાવી શકે છે. CPR આપતી વખતે એમ્બ્યુલન્સ બોલાવો અને દર્દીને હોસ્પિટલમાં મોકલો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...