Monday, March 16, 2026

AMCના પ્રોપર્ટીટેક્સ લોકદરબારનો આ તારીખે લઈ લેજો લાભ, ‘પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સ સંદર્ભે નાગરિકોને થતી મુશ્કેલીઓ અંગે સાત ઝોનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકદરબારના કાર્યક્રમ દરમિયાન આવતા નાગરિકોને તેમને નડતી મુશ્કેલીઓના ઉકેલ કાઢી આપવામાં આવશે. ખાસ કરીને, પ્રોપર્ટીમાં નામ ટ્રાન્સફર, ભાડૂઆતે પ્રોપર્ટી ખાલી કરી દીધી હોવા છતાં તેેમના નામે બોલતી પ્રોપર્ટી સહિતના વિવિધ મુદ્દાઓ સંદર્ભે લોકો દ્વારા રજૂઆતો મળી હોવાનું ટેક્સ વિભાગના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ટેક્સ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રોપર્ટી ટેક્સ સંદર્ભે નાગરિકોને થતી મુશ્કેલીઓ અંગે આ લોકદરબારમાં લોકોને ટેક્સના નામના ફેરફાર કરાવવા માટે કયા કયા દસ્તાવેજો લાવવા કે નહીં તે અંગે પણ માહિતી અપાઈ રહી છે.18 એપ્રિલે સવારે 10.30થી 2 તથા 3થી 5 વાગ્યા સુધી તમામ ઝોનની ઓફિસો પર રાખવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં કારણે પેન્ડીંગ રહેલ અરજીઓનો તથા નવી અરજીઓનો ઝડપથી સ્થળ પર જ નિકાલ થઇ શકશે.

રેવન્યુ કમિટીનાં ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ‘પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ટેક્સધારકો અરજી સંદર્ભનાં તમામ જરુરી પુરાવાઓ રજુ કરશે અને તેમાં નામ ટ્રાન્સફર, નામમાં સ્પેલીંગની ભુલો તથા સરનામામાં જરુરી ફેરફારનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે તેમજ ટેક્સ ઘટાડાની અરજી, ક્ષેત્રફળ અથવા પરિબળ ઘટાડવાની / ખાલી-બંધ વગેરે તેમજ અન્ય અરજી સ્થળ ઉપર જ સ્વીકારી અરજદારને રસીદ આપવામાં આવશે. ત્યારબાદ જે-તે ઝોનલ કચેરી દ્વારા અરજદારની અરજીઓના નિકાલ માટે સ્થળ તપાસ કરી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...