Wednesday, March 18, 2026

અમદાવાદમાં વધુ એક બ્રિજમાં પોલંપોલ ! ઇન્કમટેક્સ ફલાયઓવરમાં ખૂલ્યો સૌથી મોટો છબરડો!

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અને કોઈ કૌભાંડ કે વિવાદના સમાચાર સામે ન આવે તો જ નવાઈ કહેવાય. શહેરના હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ વધુ એક બ્રિજ પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ કહી શકાય તેવી પોલ સામે આવી છે. અમદાવાદમાં 58 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો ઈન્કમટેક્સ બ્રિજ એકમાત્ર 5 લેનનો બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.

ઈન્ડિયન રોડ કોંગ્રેસના નિયમ મુજબ શહેરમાં બનતા કોઈપણ બ્રિજ 4 લેનથી વધુ હોઈ શકે નહીં.આ બ્રિજ બનાવતા પહેલાં સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRRI) દિલ્હીએ કરેલા સરવેમાં પણ ઈન્કમટેક્સ સર્કલ ખાતે બ્રિજ બનાવવાની ભલામણ કરી હતી.જેમાં બિલ્ડરને લાભ અપાવવા માટે CRRI એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિયૂટની ભલામણોને નજર અંદાજ કરવામાં આવી હતી.

CRRIએ સૂચન કર્યુ હતું કે શહેરી વિસ્તારમાં 4 લેનથી વધારે પહોળો બ્રિજ બનાવી શકાય નહીં અને 16 મીટરની પહોળાઈ સાથે 4 લેનનો બ્રિજ બનાવવા સૂચન કર્યુ હતું. પરંતુ ઈન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજના કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને ફોર લેનના બદલે ફાઈવ લેનનો તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં તમામ ફ્લાય ઓવર બ્રિજ 16.5 મીટર પહોળા છે. પરંતુ ઈન્કમ ટેક્સ ફ્લાય ઓવરબ્રિજ 20.5 મીટર પહોળો છે.

2019માં રૂ. 58 કરોડના ખર્ચે બનેલા ઈન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજના કારણે સર્વિસ રોડ સાંકડા થયા છે. સમગ્ર મામલે amc ના વિપક્ષી નેતાના તંત્ર અને ભાજપી સાશકો પર પ્રહાર કરી રહ્યા છે. વિપક્ષે જણાવ્યું છે કે, AMC નો બ્રિજ પ્રોજેક્ટ વિભાગ સૌથી ભ્રષ્ટ વિભાગ પૈકીનો એક છે. શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું છે કે, હાટકેશ્વર બ્રિજ બાદ ઇન્કમટેક્સ બ્રિજ બનાવટમાં પણ બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...