Saturday, February 7, 2026

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર હવે જો આ નિયમનો અમલ નહીં થાય તો બિલ્ડરો ભેરવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે જેને રોકવા માટે થઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર પગલાં ભરવામાં આવતા હોય છે. ત્યારે હવે શહેરમાં નવી બનતી ચાલુ બાંધકામ સાઈટો ઉપર બાંધકામ દરમિયાન નવી બનતી બિલ્ડીંગ ઉપર ગ્રીનનેટ અને બેરીકેડ લગાડવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રજા ચિઠ્ઠીમાં ઉલ્લેખ હોય છે. પરંતુ તેમ છતાં કમિશનરના આદેશનું ઉલ્લઘંન કરનાર 504 બાંધકામ સાઇટને નોટિસ આપી 66 લાખ વહિવટી ચાર્જ વસુલ કરાયો છે.

અમદાવાદ શહેરનો વ્યાપ આજે માત્ર સિટી વિસ્તાર પુરતો નહીં, પરંતુ શહેરની રાઉન્ડમાં આવેલા એસપી રીંગ રોડને પણ પાર થઇ ગયો છે. આજે જે રીતે શહેરનો ગ્રોથ વધ્યો છે તેમ જરૂરિયાત પણ વધી છે. ધંધા રોજગાર માટે બહારથી આવતા લોકો માટે આસરો બની રહે તે માટે હવે મકાનોની ડિમાન્ડ પણ વધી છે. તેવામાં શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટના પગલે હવામાં ઉડતા ધૂળના સુક્ષ્મ રજકણો બિમારીનું ઘર કરી રહ્યા છે.

એક તારણ મુજબ શહેરમાં હવાના 90 ટકા પ્રદૂષણ માટે સાઇટનો તેમજ રોડ પરથી ઉડતા ધૂળના સુક્ષ્મ રજકણો જવાબદાર મનાઇ રહ્યા છે. બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ બાંધવામાં આવતી ન હોવાથી હાનિકરક પીએમ 10 સીધા શ્વાસમાં જાય છે.હવામાં ઉડતા 10 માઇક્રોન અથવા તેનાથી ઓછું ડાયામીટર ધરાવતા વાયુ રજકણ શ્વાસો શ્વાસ મારફત શરીરમાં પ્રવેશ કરે છે. જે માણસના ફેફસા માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. જે ભવિષ્યમાં ફેફસાંમાં મોટું નુકશાન પહોંચાડી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા એક આદેશ જાહેર કરાયો છે કે, જે પણ બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન હોય તેવી બાંધકામ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે. તેમજ મોટા વહિવટી ચાર્જ વસુલ કરાય. જે અંતર્ગત એએમસી દ્વારા 504 સાઈટને નોટિસ ફટકારી છે, તેમજ હવા પ્રદૂષિત કરતાં બિલ્ડરો પાસેથી 66 લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...