Tuesday, September 16, 2025

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર હવે જો આ નિયમનો અમલ નહીં થાય તો બિલ્ડરો ભેરવાશે

Share

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે જેને રોકવા માટે થઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર પગલાં ભરવામાં આવતા હોય છે. ત્યારે હવે શહેરમાં નવી બનતી ચાલુ બાંધકામ સાઈટો ઉપર બાંધકામ દરમિયાન નવી બનતી બિલ્ડીંગ ઉપર ગ્રીનનેટ અને બેરીકેડ લગાડવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રજા ચિઠ્ઠીમાં ઉલ્લેખ હોય છે. પરંતુ તેમ છતાં કમિશનરના આદેશનું ઉલ્લઘંન કરનાર 504 બાંધકામ સાઇટને નોટિસ આપી 66 લાખ વહિવટી ચાર્જ વસુલ કરાયો છે.

અમદાવાદ શહેરનો વ્યાપ આજે માત્ર સિટી વિસ્તાર પુરતો નહીં, પરંતુ શહેરની રાઉન્ડમાં આવેલા એસપી રીંગ રોડને પણ પાર થઇ ગયો છે. આજે જે રીતે શહેરનો ગ્રોથ વધ્યો છે તેમ જરૂરિયાત પણ વધી છે. ધંધા રોજગાર માટે બહારથી આવતા લોકો માટે આસરો બની રહે તે માટે હવે મકાનોની ડિમાન્ડ પણ વધી છે. તેવામાં શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટના પગલે હવામાં ઉડતા ધૂળના સુક્ષ્મ રજકણો બિમારીનું ઘર કરી રહ્યા છે.

એક તારણ મુજબ શહેરમાં હવાના 90 ટકા પ્રદૂષણ માટે સાઇટનો તેમજ રોડ પરથી ઉડતા ધૂળના સુક્ષ્મ રજકણો જવાબદાર મનાઇ રહ્યા છે. બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ બાંધવામાં આવતી ન હોવાથી હાનિકરક પીએમ 10 સીધા શ્વાસમાં જાય છે.હવામાં ઉડતા 10 માઇક્રોન અથવા તેનાથી ઓછું ડાયામીટર ધરાવતા વાયુ રજકણ શ્વાસો શ્વાસ મારફત શરીરમાં પ્રવેશ કરે છે. જે માણસના ફેફસા માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. જે ભવિષ્યમાં ફેફસાંમાં મોટું નુકશાન પહોંચાડી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા એક આદેશ જાહેર કરાયો છે કે, જે પણ બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન હોય તેવી બાંધકામ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે. તેમજ મોટા વહિવટી ચાર્જ વસુલ કરાય. જે અંતર્ગત એએમસી દ્વારા 504 સાઈટને નોટિસ ફટકારી છે, તેમજ હવા પ્રદૂષિત કરતાં બિલ્ડરો પાસેથી 66 લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...