Sunday, March 1, 2026

નવા ઘરનું સપનું હવે બહુ દુર નથી, તાજેતરમાં હાઉસીંગ રિડેવલમેન્ટ પ્રક્રિયામાં લેવાયા બે ઐતિહાસિક નિર્ણયો.!!

spot_img
Share

અમદાવાદ : હાઉસીંગના રહીશો માટે ખુશખબર આવી રહ્યા છે. અમદાવાદના નારણપુરા, સોલા અને નવા વાડજ વિસ્તારમાં મોટી સંખ્યામાં હાઉસીંગની સોસાયટીઓ આવેલ છે જેમાં લાખો હાઉસીંગના રહીશો માટે ગુજરાત હાઉસીંગ બોર્ડ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલ બે અભૂતપૂર્વ નિર્ણયોથી હાઉસીંગના રહીશોનું રિડેવલમેન્ટ દ્વારા નવા ઘરનું સપનું હવે બહુ દુર નથી.

તાજેતરમાં શહેરના નારણપુરા વિસ્તારમાં હાઈઈન્કમ ગ્રૂપ (HIG) રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિવડેવલપમેન્ટને લઈને સહમતી ન દર્શાવતા હાઉસીંગ બોર્ડ દ્વારા કડક હાથે કામગીરી કરતા કાયદાનો કોરડો વિઝતા અસંમત સભ્યોનો મકાનોને સીલ કરાયા હતા. હાઉસીંગ બોર્ડ દ્વારાસોસાયટીના ૯૫ ટકા મકાન રિડેવલમેન્ટ માટે મંજૂર થયા છે. જેમાં ૩૧૨ માંથી ૧૭ મકાનમાલિકોએ રિડેવલપમેન્ટ માટે સહમતી ન દર્શાવતા હાઉસીંગ બોર્ડએ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નારણપુરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તક રામેશ્વર એપાર્ટમેન્ટમાં ૩૧૨ મકાન છે, જેમાંથી ૨૯૫ સભ્યોએ કાયદાકીય પ્રક્રિયામાં ભાગ લઈને રિડેવલપમેન્ટમાં જોડાયા હતા, પરંતુ ૧૭ સભ્યો એવા હતા કે જેઓએ સંમતિ કરાર કર્યા નહોતા, જેથી ગત સપ્તાહે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસની મદદથી રામેશ્વર એપોર્ટમેન્ટના ૧૭ અસંમત સભ્યોના મકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા પ્રથમ તો દસ અને પાછળથી બાકીના સાત રિડેવલપમેન્ટ માટે જોડાઈ ગયા હતા.આમ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અસંમત ૧૭ સભ્યોનું નહીં સાંભળી ફકત ૨૯૫ સંમત સભ્યોનો અવાજ સાંભળતા હવે ટુંક સમયમાં રામેશ્વર એપાર્ટમેન્ટમાં ડિમોલીશનની પ્રક્રિયા શરૂ થશે, અને આગામી ત્રણ વર્ષમાં રહીશોને જુના સામે નવું ઘર મળશે.છેલ્લે મળતી માહિતી મુજબ સોસાયટીમાં ૫૦ ટકા થી વધુ રહીશોએ મકાન ખાલી કરી દીધા છે, લોકોને ભાડા પેટે ચેક પણ મળવા લાગ્યા છે.

બીજી એક ઘટનામાં નારણપુરામાં સુર્યા-૩ એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટમાં કેટલાંક અસંમત સભ્યો દ્વારા ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું હતું. જો કે હાઈકોર્ટ દ્વારા પણ કેસ દાખલ કરવા માટેની અરજીને ડિસમિસ કરવામાં આવતા હવે સુર્યા એપાર્ટમેન્ટમાં પણ રિડેવલમેન્ટના દ્વાર ખુલ્યા છે, જો કે અસંમત સભ્યો માટે હાઈકોર્ટમાં ડબલ બેંચમાં અપીલ કરી જવાનો ઓપ્શન હજુ રહે છે.આ અગાઉ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નવાવાડજમાં આવેલ કિરણપાર્ક સોસાયટીમાં એક અસંમત સભ્યના મકાનને સીલ મારી કબજો લઈ લીધો હતો.

આમ હાઉસીંગના રહીશો માટે ઉપરોક્ત બે ઐતહાસિક નિર્ણયોને જોતા આવનાર સમયમાં શહેરના નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગના લાખો રહીશો રીડેવલપમેન્ટ થકી મુળ જગ્યાએ મોટુ ઘર મળે તે સમય હવે બહુ દૂર નથી, એવું હાઉસીંગના આગેવાનો અને રહીશો જણાવી રહ્યા છે.

હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલમેન્ટ ફેડરેશન આ મુદ્દે શું કહે છે….
તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ બાબતે હાઉસીંગ સોસાયટીઓના નિયમો આધારીત બહુમત સભ્યો ૭૫% સાથે રીડેવલપમેન્ટ પ્રક્રિયાને ધ્યાને રાખતા અસંમત ૨૫% સુધીના સભ્યો સામે ૬૦એ૨ નોટિસ દ્વારા એટલે કે કબજો લેવાની કાર્યવાહી નારણપુરા ખાતે આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટમાં કરાઈ હતી જેને અમો આવકારીએ છીએ.
આ ઉપરાંત તે જ દિવસે ગુજરાત હાઈકોર્ટના આદરણીય સિંગલ જજ દ્વારા સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ ત્રણના રિડેવલપમેન્ટમાં કેટલાંક અસંમત સભ્ય દ્વારા થયેલ કોર્ટ કાર્યવાહી માટે કેસ દાખલ કરવા માટેની અરજીને ડિસમિસ કરવામાં આવેલ છે. તે સોસાયટીના અસંમત સભ્યોમાંના કેટલાક સભ્યો ડબલ બેંચ માટે અપીલ કરી શકે છે. રિડેવલપમેન્ટની પ્રક્રિયાને વેગમાન બનાવતા ગુ.હા.બોર્ડના કોમ્પીટન્ટ ઓથોરીટીના પ્રોસેસ, હુકમ તથા કોર્ટના આદેશને બહુમત રહીશો આવકારે છે. કાયદા દ્વારા સ્થાપિત ૭૫% કે તેથી વધુ બહુમત જનોના હિતને ધ્યાને રાખી તેમનું મનોબળ વધારતા મોરલ સપોર્ટ મળે તેવી પ્રક્રિયા હાઉસિંગ બોર્ડ દ્વારા જે કરવામાં આવી છે તેને બહુમત રહીશો આવકારે છે. ઉપરોક્ત બંન્ને હુકમ તથા તેના એક્શન જે બહુમત હીતને સાંત્વનાસહ ખાત્રી આપે છે કે કાયદાનો હવે ઝડપી અમલ થતો રહેશે અને સાથે સાથે અસંમત સભ્યોને કડક સંદેશ પણ આપે છે કે રિડેવલપમેન્ટમાં નડતર સભ્યોની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. સરકારી સંસ્થા દ્વારા ઉદાહરણ સ્વરૂપ દાખલા બેસાડેલ છે. ભવિષ્યમાં જરૂરીયાતે આવા સ્ટેપ ત્વરીત લે તેવી રહીશોને અપેક્ષાઓ છે…સંદિપ ત્રિવેદી(સભ્ય, હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલમેન્ટ ફેડરેશન)

ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ આ મુદ્દે શું કહે છે….
ગુજરાત હાઉસીંગ બોર્ડની સોસાયટીઓ કે જેમાં ૭૫ ટકા અને તેથી વધુ સહમતિ રહિશોએ આપી હોય અને ત્રિપક્ષીય કરાર થયા પછી જે અસંમત સભ્યો હોય તેમની સામે નિયમાનુસાર એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે જેનાં અનુસંધાને નારણપુરાના સુર્યા-૩ એપાર્ટમેન્ટ અને રામેશ્વર એપાર્ટમેન્ટમાં કાર્યવાહી કરવામાં આવેલ છે, જેથી હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની કાર્યવાહીમાં વેગ મળ્યો છે અને હજી જો આજ પ્રકારે કાર્યવાહી સમયસર કરવામાં આવે તો ડેવલપરો પણ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લે અને તેઓનો ઉત્સાહ વધે અને રિડેવલપમેન્ટની કાર્યવાહી ઝડપી બને, જેથી ભવિષ્યમાં જર્જરીત મકાનોની જાનહાનિ ટાળી શકાય…દિનેશ બારડ (પ્રમુખ, ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...