Thursday, March 12, 2026

આવતીકાલે લેવાશે NEET UG 2023ની પરીક્ષા, આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન

spot_img
Share

અમદાવાદ: આવતીકાલે (રવિવાર) દેશભરમાં NEET UG 2023 ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. દેશની મેડિકલ, ડેન્ટલ તેમજ આયુષ કોલેજોમાં MBBS, BDS, BAMS, BHMS સહિત કોર્સમાં પ્રવેશ માટે NEET UGની પરીક્ષા ફરજિયાત છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. બપોરે 1.30 બાદ પરીક્ષા કેન્દ્રમાં એકપણ વિદ્યાર્થીને પ્રવેશ અપાશે નહીં. આવતીકાલે બપોરે 2 વાગ્યાથી સાંજે 5.20 વાગ્યા સુધી NEET UG ની પરીક્ષા યોજાશે.

NEET પરીક્ષા કેન્દ્ર માર્ગદર્શિકા
બપોરે 1.30 વાગ્યા પછી ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
ટ્રાફિક, પરીક્ષા કેન્દ્રનું સ્થાન અને હવામાનની સ્થિતિ વગેરે જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને ઉમેદવારે અગાઉથી ઘરેથી નીકળવું જોઈએ.
પરીક્ષાર્થીઓ દ્વારા કોઈપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને શિક્ષા કરવામાં આવશે.
ઉમેદવારોએ એડમિટ કાર્ડ પર પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડીને અથવા તેની સાથે ફોટો લઈને પહોંચવું જોઈએ.
પરીક્ષા હોલની અંદર મોબાઈલ, સ્માર્ટ વોચ, લેપટોપ જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લઈ જશો નહીં.
ઉમેદવારોએ કોવિડ-10 માર્ગદર્શિકા મુજબ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા જોઈએ.
પુરૂષ ઉમેદવારોએ હાફ સ્લીવ શર્ટ, ટી-શર્ટ પહેરવું જોઈએ. ફુલ સ્લીવ શર્ટને મંજૂરી નથી.
મહિલા ઉમેદવારોએ વિસ્તૃત ભરતકામ, ફૂલો, બ્રોચ અથવા બટનોવાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
મહિલા ઉમેદવારોએ કાનની બુટ્ટી, વીંટી, પેન્ડન્ટ, નેકલેસ, બ્રેસલેટ અથવા પાયલ જેવા કોઈપણ પ્રકારના ઘરેણાં પહેરવાનું ટાળવું જોઈએ.

NTA એ ઉમેદવારોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી પણ આપ્યા છે. જો કોઈ ઉમેદવારને NEET UG પરીક્ષા કેન્દ્ર સ્લિપ અથવા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તે/તેણી 011-40759000 પર સંપર્ક કરી શકે છે અથવા neet@nta.ac.in પર ઈમેલ કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...