Sunday, September 14, 2025

આવતીકાલે લેવાશે NEET UG 2023ની પરીક્ષા, આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન

Share

Share

અમદાવાદ: આવતીકાલે (રવિવાર) દેશભરમાં NEET UG 2023 ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. દેશની મેડિકલ, ડેન્ટલ તેમજ આયુષ કોલેજોમાં MBBS, BDS, BAMS, BHMS સહિત કોર્સમાં પ્રવેશ માટે NEET UGની પરીક્ષા ફરજિયાત છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. બપોરે 1.30 બાદ પરીક્ષા કેન્દ્રમાં એકપણ વિદ્યાર્થીને પ્રવેશ અપાશે નહીં. આવતીકાલે બપોરે 2 વાગ્યાથી સાંજે 5.20 વાગ્યા સુધી NEET UG ની પરીક્ષા યોજાશે.

NEET પરીક્ષા કેન્દ્ર માર્ગદર્શિકા
બપોરે 1.30 વાગ્યા પછી ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
ટ્રાફિક, પરીક્ષા કેન્દ્રનું સ્થાન અને હવામાનની સ્થિતિ વગેરે જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને ઉમેદવારે અગાઉથી ઘરેથી નીકળવું જોઈએ.
પરીક્ષાર્થીઓ દ્વારા કોઈપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને શિક્ષા કરવામાં આવશે.
ઉમેદવારોએ એડમિટ કાર્ડ પર પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડીને અથવા તેની સાથે ફોટો લઈને પહોંચવું જોઈએ.
પરીક્ષા હોલની અંદર મોબાઈલ, સ્માર્ટ વોચ, લેપટોપ જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લઈ જશો નહીં.
ઉમેદવારોએ કોવિડ-10 માર્ગદર્શિકા મુજબ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા જોઈએ.
પુરૂષ ઉમેદવારોએ હાફ સ્લીવ શર્ટ, ટી-શર્ટ પહેરવું જોઈએ. ફુલ સ્લીવ શર્ટને મંજૂરી નથી.
મહિલા ઉમેદવારોએ વિસ્તૃત ભરતકામ, ફૂલો, બ્રોચ અથવા બટનોવાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
મહિલા ઉમેદવારોએ કાનની બુટ્ટી, વીંટી, પેન્ડન્ટ, નેકલેસ, બ્રેસલેટ અથવા પાયલ જેવા કોઈપણ પ્રકારના ઘરેણાં પહેરવાનું ટાળવું જોઈએ.

NTA એ ઉમેદવારોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી પણ આપ્યા છે. જો કોઈ ઉમેદવારને NEET UG પરીક્ષા કેન્દ્ર સ્લિપ અથવા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તે/તેણી 011-40759000 પર સંપર્ક કરી શકે છે અથવા neet@nta.ac.in પર ઈમેલ કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...