Friday, February 27, 2026

નહેરૂબ્રિજ વિસ્તારમાં 50 લાખની દિલધડક લૂંટ, એક્ટિવા પર આવેલા ત્રણ ઈસમો 50 લાખ લૂંટી થયા ફરાર

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક વખત આંગડિયા પેઢીનો કર્મચારી ટાર્ગેટ બન્યો છે. થોડા સમય પહેલા જ અમદાવાદના સીજી રોડ પર એક આંગડિયા પેઢીની કિંમતી વસ્તુની લૂંટ થઈ હતી. ત્યારે આજે ફરી એક વખત નહેરુ બ્રિજ પાસે 50 લાખ રૂપિયા રોકડા લઈને જતા આંગડિયા પેઢીના કર્મચારીને એક્ટિવા ઉપર આવેલા ત્રણ શખસોએ આત્રીને બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. હાલ આ ઘટનાને પગલે નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મુળ રતનપુરનાં ડી નરેશ આંગડિયા પેઢીનાં કર્મચારી કમલેશ અને છગનલાલ બંને એક્ટિવા લઇને સીજી રોડ પરથી ફોરેન એક્સચેન્જમાંથી 50 લાખ લઇને નીકળ્યા હતા. ત્યારબાદ બન્ને જમાં આશ્રમ રોડ થઇને નહેરૂબ્રીજ થઇને લાલ દરવાજાથી કાલુપુર તેમની આંગડિયા ઓફિસે જઇ રહ્યા હતા. ત્યારે પાછળથી ત્રણ લોકો ટુ વ્હીલર પર આવ્યા હતા અને સાઇડમાં વાહન રાખી બેલેન્સ ગુમાવે એવી રીતે બેગ ખેંચીને ભાગીને જતા રહ્યા હતા. આ બનાવની જાણ થતા શહેરના ઉચ્ચ અધિકારીઓએ અલગ અલગ જગ્યાએ નાકાબંધી શરૂ કરી છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લાગી છે.

થોડા સમય પહેલા જ અમદાવાદના સીજી રોડ પર એક આંગડિયા પેઢીની કિંમતી વસ્તુની લૂંટ થઈ હતી. ત્યારે આજે ફરી એક વખત નહેરુ બ્રિજ પાસે 50 લાખ રૂપિયા રોકડાની લૂંટ આ વિસ્તારમાં થતા લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...