Tuesday, January 20, 2026

નહેરૂબ્રિજ વિસ્તારમાં 50 લાખની દિલધડક લૂંટ, એક્ટિવા પર આવેલા ત્રણ ઈસમો 50 લાખ લૂંટી થયા ફરાર

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક વખત આંગડિયા પેઢીનો કર્મચારી ટાર્ગેટ બન્યો છે. થોડા સમય પહેલા જ અમદાવાદના સીજી રોડ પર એક આંગડિયા પેઢીની કિંમતી વસ્તુની લૂંટ થઈ હતી. ત્યારે આજે ફરી એક વખત નહેરુ બ્રિજ પાસે 50 લાખ રૂપિયા રોકડા લઈને જતા આંગડિયા પેઢીના કર્મચારીને એક્ટિવા ઉપર આવેલા ત્રણ શખસોએ આત્રીને બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. હાલ આ ઘટનાને પગલે નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મુળ રતનપુરનાં ડી નરેશ આંગડિયા પેઢીનાં કર્મચારી કમલેશ અને છગનલાલ બંને એક્ટિવા લઇને સીજી રોડ પરથી ફોરેન એક્સચેન્જમાંથી 50 લાખ લઇને નીકળ્યા હતા. ત્યારબાદ બન્ને જમાં આશ્રમ રોડ થઇને નહેરૂબ્રીજ થઇને લાલ દરવાજાથી કાલુપુર તેમની આંગડિયા ઓફિસે જઇ રહ્યા હતા. ત્યારે પાછળથી ત્રણ લોકો ટુ વ્હીલર પર આવ્યા હતા અને સાઇડમાં વાહન રાખી બેલેન્સ ગુમાવે એવી રીતે બેગ ખેંચીને ભાગીને જતા રહ્યા હતા. આ બનાવની જાણ થતા શહેરના ઉચ્ચ અધિકારીઓએ અલગ અલગ જગ્યાએ નાકાબંધી શરૂ કરી છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લાગી છે.

થોડા સમય પહેલા જ અમદાવાદના સીજી રોડ પર એક આંગડિયા પેઢીની કિંમતી વસ્તુની લૂંટ થઈ હતી. ત્યારે આજે ફરી એક વખત નહેરુ બ્રિજ પાસે 50 લાખ રૂપિયા રોકડાની લૂંટ આ વિસ્તારમાં થતા લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...