Tuesday, September 16, 2025

અમદાવાદીઓને ઘર આંગણે જ મળી રહેશે સસ્તા ભાવે ગીરની પ્રખ્યાત કેસર કેરી

Share

Share

અમદાવાદ : અમદાવાદ શહેરના નગરજનોને સીધી ઉપલબ્ધ થાય તે માટેના ગીર પંથકના ખેડૂતો દ્વારા બે મહિના માટે કેરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના વરદહસ્તે કરવામાં આવ્યો હતો.આ કેરી મેળામાં 60 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જ્યાં સીધા ખેડૂતો તાલાલાની કેસર કેરીનો પાક લઈને આવશે અને ખેડૂતોથી સીધો ગ્રાહક સુધી તે પાક પહોંચશે. જ્યાં લોકોને 500 થી લઈને 1500 રૂપિયાની નાનાથી મોટા ફળની વિવિધ કેરીઓ મળી રહેશે.

આયોજક ખેડૂતોનું માનવું છે કે કેરીની સીઝન દરમિયાન ખેડૂતો પાસેથી વચેટિયાઓ કેરી ખરીદીને બજારમાં ઊંચા ભાવે વેચે છે. જેના કારણે લોકોને મોંઘી કેરી મળી રહે છે. જ્યારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ કરવાથી વચેટીયાઓનો નફો બંધ થઈ જશે જેના કારણે ગ્રાહકોને ખેડૂતોના ભાવે જ સસ્તી કેરી મળી રહેશે. જેથી ખેડૂતોને પણ નુકસાન નહીં જાય અને ગ્રાહકોને સસ્તા ભાવે સારી કેરી એક જ સ્થળ પરથી મળી રહેશે.

કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય અમિત ઠાકરે પણ વચેટિયાઓની બાબતે સરકાર કામ કરી રહી હોવાનું નિવેદન આપી. લોકો માટે સરકાર હરહંમેશ કાર્યરત હોવાનું જણાવ્યું હતું. તો ચાલુ સિઝનમાં ગરમી દરમિયાન કમોસમી વરસાદ પણ પડ્યો હતો. જેના કારણે લોકોને ભીતી હતી કે આ સિઝનમાં કેરીની અછત સર્જાશે અને લોકોને મોંઘી કેરી મળશે.

જો કે ખેડૂતોનું કહેવું હતું કે વરસાદના કારણે કેરીના પાકને વધુ નુકસાન થયું નથી. તેમજ કેરીનો ભાવ પણ ઓછો ચાલી રહ્યો છે. જોકે વચેટિયાઓના કારણે ભાવ વધી જતા હોવાથી લોકોને તેની અસર પડી રહી છે અને તેજ અસર દૂર કરવા માટે ખેડૂતો દ્વારા મેળાનું આયોજન કરીને લોકોને સસ્તા સારા ભાવે કેરી મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...