Friday, February 27, 2026

આજે ભગવાન જગન્નાથે ધારણ કર્યો ‘સોનાવેશ’, દર્શન માટે ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું

spot_img
Share

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. અષાઢી બીજના દિવસે જગન્નાથ નગર ચર્યાએઓ નીકળવાના છે. ત્યારે રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સોમવારે જગન્નાથજીને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. એવામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. ભગવાનના સોનાવેશ શણગારમાં મયુર જેવી ડિઝાઈનના ઘરેણા બનાવવામાં આવ્યા હતા.સાંજે 6.30 વાગ્યે CMના હસ્તે પૂજા અને આરતી થશે. આવતીકાલે જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે.

ભગવાનના સોનાવેશ શણગારમાં વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. ગુલાબી વાધા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ દૈદિપ્યમાન લાગી રહ્યું છે. યજમાનોએ પ્રભુના સોનાવેશની પૂજા કરી હતી. આજ સવારથી જ પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભગવાનને આટલી સુંદર ગુલાબી વાઘામાં જોવા માટે આજ સવારથી ભક્તોમાં ભારે ભીડ જામી હતી. લોકો તેમના દર્શન કરીને અભિભૂત બન્યા છે.

આપને જણાવીએ કે, સોના વેશમાં આજે મયુર જેવી ડિઝાઇનના ઘરેણાં બનાવવામાં આવ્યા છે. જગન્નાથનો રથ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં નવા લુકમાં જોવા મળશે. રથયાત્રા પૂર્વ આજે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન કરવામાં આવશે. આ વખતે 72 વર્ષ જૂના રથોને પૂરી જેવો રથનો લુક આપવામાં આવ્યો છે. જે રથ પર બિરાજમાન થઈને ભગવાન નગરચર્યા પર નિકળવાનાં છે તે રથનો નવો લુક રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવશે.

20મી જૂન 2023ના રોજ નીકળનારી રથયાત્રામાં આ વખતે 100થી વધુ ટ્રકો, 30 જેટલા અખાડા અને અનેક ભજન મંડળીઓ જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં દેશભરમાંથી આવેલા 2000 જેટલા સાધુ-સંતો જોડાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...