Monday, April 27, 2026

આજે ભગવાન જગન્નાથે ધારણ કર્યો ‘સોનાવેશ’, દર્શન માટે ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું

spot_img
Share

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. અષાઢી બીજના દિવસે જગન્નાથ નગર ચર્યાએઓ નીકળવાના છે. ત્યારે રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સોમવારે જગન્નાથજીને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. એવામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. ભગવાનના સોનાવેશ શણગારમાં મયુર જેવી ડિઝાઈનના ઘરેણા બનાવવામાં આવ્યા હતા.સાંજે 6.30 વાગ્યે CMના હસ્તે પૂજા અને આરતી થશે. આવતીકાલે જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે.

ભગવાનના સોનાવેશ શણગારમાં વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. ગુલાબી વાધા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ દૈદિપ્યમાન લાગી રહ્યું છે. યજમાનોએ પ્રભુના સોનાવેશની પૂજા કરી હતી. આજ સવારથી જ પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભગવાનને આટલી સુંદર ગુલાબી વાઘામાં જોવા માટે આજ સવારથી ભક્તોમાં ભારે ભીડ જામી હતી. લોકો તેમના દર્શન કરીને અભિભૂત બન્યા છે.

આપને જણાવીએ કે, સોના વેશમાં આજે મયુર જેવી ડિઝાઇનના ઘરેણાં બનાવવામાં આવ્યા છે. જગન્નાથનો રથ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં નવા લુકમાં જોવા મળશે. રથયાત્રા પૂર્વ આજે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન કરવામાં આવશે. આ વખતે 72 વર્ષ જૂના રથોને પૂરી જેવો રથનો લુક આપવામાં આવ્યો છે. જે રથ પર બિરાજમાન થઈને ભગવાન નગરચર્યા પર નિકળવાનાં છે તે રથનો નવો લુક રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવશે.

20મી જૂન 2023ના રોજ નીકળનારી રથયાત્રામાં આ વખતે 100થી વધુ ટ્રકો, 30 જેટલા અખાડા અને અનેક ભજન મંડળીઓ જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં દેશભરમાંથી આવેલા 2000 જેટલા સાધુ-સંતો જોડાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...