Wednesday, March 4, 2026

હવે અમદાવાદીઓ ડબલ ડેકર AC બસનો આનંદ માણી શકશે, વિવિધ રૂટો ઉપર 25 બસો દોડાવવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવે મુંબઈની જેમ એસી ડબલ ડેકર બસો પણ દોડાવવાનો નિર્ણય AMC તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. પ્રાથમિક ધોરણે અમદાવાદમાં 25 જેટલી ડબલ ડેકર બસો લાવવામાં આવશે અને તેને શહેરના વિવિધ રૂટો ઉપર દોડાવવામાં આવશે. જેથી મુસાફરો હવેથી ડબલ ડેકર બસોનો પણ આનંદ માણી શકશે.

AMC કમિશનર એમ. થેન્નારસને આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, 25 ડબલ ડેકકર ઈલેકટ્રીક એ.સી. બસ – AMTS / BRTSના રૂટો પર ઘસારો વધારે હોય તે રૂટો પર એકસાથે મહત્તમ પ્રવાસીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા મળે તે આશયથી ડબલ ડેકર ઈલેકટ્રીક એ.સી. બસો શહેરમાં સંચાલિત કરવાનું આયોજન છે. આ બસો દ્વારા ઓછી ફ્રિકવન્સીથી વધુ પેસેન્જરોને મુસાફરીનો લાભ આપી શકાય. આ બસો કેન્દ્ર સરકારની ફેમ ટુની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે.

આ ઉપરાંત 300 મીડી ઈલેકટ્રીક બસ એ.સી. 9 મીટર – AMTS / BRTS માં અમદાવાદના મહત્તમ પ્રવાસીઓને બસ સેવાઓનો લાભ મળે તે ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 300 ઈલેકટીક એ.સી. બસો કેન્દ્ર સરકારની ફેમ ટુની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે. આ નવી ઈલેકટ્રીક બસો આવવાથી શહેરમાં પ્રદૂષણ ઘટશે તથા સરકારની ઈલેકટ્રીક પોલિસીને ગ્રીન કાર્બનનો લાભ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...