Wednesday, January 14, 2026

હવે અમદાવાદીઓ ડબલ ડેકર AC બસનો આનંદ માણી શકશે, વિવિધ રૂટો ઉપર 25 બસો દોડાવવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવે મુંબઈની જેમ એસી ડબલ ડેકર બસો પણ દોડાવવાનો નિર્ણય AMC તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. પ્રાથમિક ધોરણે અમદાવાદમાં 25 જેટલી ડબલ ડેકર બસો લાવવામાં આવશે અને તેને શહેરના વિવિધ રૂટો ઉપર દોડાવવામાં આવશે. જેથી મુસાફરો હવેથી ડબલ ડેકર બસોનો પણ આનંદ માણી શકશે.

AMC કમિશનર એમ. થેન્નારસને આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, 25 ડબલ ડેકકર ઈલેકટ્રીક એ.સી. બસ – AMTS / BRTSના રૂટો પર ઘસારો વધારે હોય તે રૂટો પર એકસાથે મહત્તમ પ્રવાસીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા મળે તે આશયથી ડબલ ડેકર ઈલેકટ્રીક એ.સી. બસો શહેરમાં સંચાલિત કરવાનું આયોજન છે. આ બસો દ્વારા ઓછી ફ્રિકવન્સીથી વધુ પેસેન્જરોને મુસાફરીનો લાભ આપી શકાય. આ બસો કેન્દ્ર સરકારની ફેમ ટુની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે.

આ ઉપરાંત 300 મીડી ઈલેકટ્રીક બસ એ.સી. 9 મીટર – AMTS / BRTS માં અમદાવાદના મહત્તમ પ્રવાસીઓને બસ સેવાઓનો લાભ મળે તે ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 300 ઈલેકટીક એ.સી. બસો કેન્દ્ર સરકારની ફેમ ટુની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે. આ નવી ઈલેકટ્રીક બસો આવવાથી શહેરમાં પ્રદૂષણ ઘટશે તથા સરકારની ઈલેકટ્રીક પોલિસીને ગ્રીન કાર્બનનો લાભ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...