Thursday, March 12, 2026

યાત્રાધામ પાવાગઢ મંદિરમાં દર્શન માટે જાઓ તો ધ્યાન રાખજો, વાહનો માટે લેવાયો આ મોટો નિર્ણય

spot_img
Share

પંચમહાલ : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મંદિર તથા ડુંગર પર હાલ નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ છે. આ વચ્ચે યાત્રાળુઓની અવરજવર તો રહે જ છે. ખાસ કરીને તહેવાર કે શનિ રવિવારના રજાના દિવસે ભારે ભીડ રહે છે. તેથી આવા માહોલમાં ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પંચમહાલ કલેક્ટર દ્વારા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પંચમહાલ જીલ્લા મેજિ્સ્ટ્રેટ આશિષકુમારે પાવાગઢ તળેટીથી માંચી સુધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.

પંચમહાલ જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી શનિવાર અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેમાં પાવાગઢ ખાતે શનિવાર અને રવિવારે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય તેમજ પાવગઢથી માચી સુધીનો રસ્તો ખૂબ જ વળાંક વાળો, વાંકોચુકો, ચઢાણ ઉતરાણવાળો તેમજ સાંકડો છે.

હાલ ચોમાસુ હોવાથી શ્રદ્ધાળુઓની અવર જવર દરમ્યાન અકસ્માત કે જાનહાની ન સર્જાય તે માટે ટ્રાફિકનું નિયમન કરવું જરૂરી છે, જેથી યાત્રાધામ પાવાગઢ તળેટીથી માચી સુધીના રૂટ ઉપર જાહેરનામું પ્રસિદ્ધ કર્યા થી બે માસ એટલે કે આજ થી 7 સપ્ટેબર 2023 દરમ્યાન આવતા તમામ શુક્રવારના રાતના 12 કલાકથી રવિવારના સાંજના 7 વાગ્યા સુધી તળેટીથી માચી સુધી જવાના રસ્તા ટેક્ષી, ઓટો રીક્ષા, ટ્રક, જીપ,બાઇક સહિત ખાનગી ભારે તેમજ હળવા વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

તે ઉપરાંત મુસાફરોની સુવિધા માટે કલેક્ટર દ્વારા વધુ એક સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. પાવાગઢ ડુંગર પર જવા માટે એસટી નિગમની 20 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ છે. માચી સુધીની અવર જવર માટે આ બસોની સુવિધા મુસાફરોને આપવામાં આવી છે. આજથી બે માસ સુધી શનિવારે અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવાના પ્રતિબંધના જાહેરનામાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...